________________
સાન્કોનું ગવર્નર-રાજ !
૨૩૧
લાગ્યો કે, તે કપડામાંથી તેના માથાને બંધ બેસતી ટોપી થઈ રહેશે કે નહિ. મેં તેના માથાનું તથા કપડાનું માપ લઈને કહ્યું, ‘ઘણી ખુશીથી થઈ રહેશે. પણ તેના મનમાં એવો વહેમ કે, દરજી તો ગમે તેમ કરીને કપડું કાઢી જ લે; એટલે તેણે મને પૂછ્યું, ‘એ કપડામાંથી બે ટોપીઓ થશે કે નહિ?’ હું તેના મનનો ભાવ સમજી ગયો, એટલે મે તેને કહ્યું, ‘બે ટોપીઓ પરાણે થશે. ’ પણ પછી તેણે તરત જ પૂછ્યું કે, ‘ત્રણ નહિ થાય ?’ હું પણ પછી જીદે ચડયો અને તેના માથાની કે કોના માથાની એમ કહ્યા વિના મે જવાબ દીધો કે, ‘થશે.' પછી તો વધતાં વધતાં પાંચ ટોપી સુધીની વાત આવી. મેં પણ દીધે રાખ્યું કે, ‘થશે.’ આજે હવે એ ટોપીઓ લેવા આવ્યો, ત્યારે મેં પાંચ ટોપીઓ તેને આપી પણ ખરી; પરંતું તે તો ગુસ્સે થઈ મને કહે છે કે, ‘મારું કપડું પાછું આપ કે તેની કિંમત આપ.
9
66
સાન્કોએ પેલા ખેડૂતને પૂછ્યું, “આ ખરી વાત છે?” ખેડૂતે કહ્યું, નામદાર, એને એ પાંચ ટોપીઓ બતાવવા કહો, એટલે મારી તકરાર સમજાઈ જશે.”
પેલા દરજીને પાંચ ટોપીઓ બતાવવાનું કહેવામાં આવતાં તેણે ખીસામાંથી કાઢીને પોતાના પંજાની પાંચ આંગળીઓ ઉપર પાંચ ટચૂકડી ટોપીઓ ટિંગાવી દીધી.
બધા દરબારીઓ હસી પડયા. સાન્કોએ ગંભીરતાથી થોડો વિચાર કરી લીધો અને પછી ફેંસલો સંભળાવ્યો, “દરજીનું મહેનતાણું જાય, ખેડૂતનું કપડું જાય, અને આ ટોપીઓ ગરીબ કેદીઓને વહેંચી દેવામાં આવે.
""
દરબારીઓ આ ચુકાદાથી હસી પડયા. પણ પછીના કેસનો સાન્કોએ આપેલો ચુકાદો જાણ્યા પછી, તેઓને સાન્કો વિષેનો પોતાનો મત બદલવો પડયો. તે કિસ્સો આ પ્રમાણે હતો.
-
બે જણા ન્યાય માટે ત્યાં રજૂ થયા. એકના હાથમાં ચાલતી વખતે ટેકો દેવા માટે મોટો દંડો હતો; અને બીજા પાસે કશું ન હતું. દંડા વગરના માણસે ફરિયાદ કરતાં કહ્યું, “નામદાર, થોડા વખત પહેલાં આને મેં દસ સોનામહોરો ઊછીની આપી હતી. તે બહુ ભીડમાં આવી ગયો હતો;