________________
નાનકડાં ૨૮૦ જ પાનમાં કેદ પુરાયેલું આ કથા-સંપાદન છે. તે વિષે તો વાચક પોતે જ જાત-અનુભવે કયાસ કાઢી લેશે. મને તે સુવાચ્ય અને સફળ લાગ્યું છે : મૂળ મહા-કથાની ગરજ આ લદા-કથાનક ઠીક સ-રસ સારી શકશે. તેમાંય આનો ઉદ્દેશ જો આપણા લઘુવી વિદ્યાર્થીઓને ઇતર વાચન રૂપે પહોંચવાનો હોય, તો આ ગ્રંથની ઠાવકી લઘુતા સચોટ બનશે. કેમ કે, વિદ્યા માટે મગજને સદા-તત્પર રાખવા સારુ સતત મનોરંજન ઝંખતા વિદ્યાર્થીઓ પાસે બહુ ઝાઝો સમય નહીં માગે. તેની ભાષા પણ અનુકૂલ વહેતી છે; અને કથા-પ્રવાહ ડૉન-ગતિએ ચાલે છે; તેથી તે ગુરુવયી વાચકવૃંદનેય ગમશે. એકમાત્ર જ્ઞાન-દ્વારિકા-ભવનમાં નહિ વસતા ગુજરાતી વાચકોને જગત્સાહિત્યની આ નીવડેલી ચીજ ચાખવા માટે આ સારાનુવાદ ખપ દઈ શકશે.
મૂળ કથા વિષે તો કહેવાનું જ શું હોય? જગબત્રીસીએ ચડી ચૂકેલી આ કથા છે – દેશ-દેશાવરના લોકો પોતપોતાની બત્રીશીથી એ વિષે બોલે છે અને હસે છે; અને કહે છે તેમ જ ચર્ચે છે. કહે છે કે, બાઈબલ પછી બીજે નંબરે પ્રસરેલી આ કથા છે! તો પછી કહેવા જેવું શું બાકી રહ્યું કે રાખ્યું હશે?
કેવાં વિરલ સ્તુતિવચનોને પાત્ર આ કથા છે! એક યુરોપીય વિવેચકે તેને “ખ્રિસ્તીને બદલે “માનવતાનું” બાઇબલ કહી છે. બીજો
એક જણ વળી કહે છે કે, સર્વ શુભોપમાં લાયક -“અનુપમ’ મનોરંજનનો અખલિત ફુઆરો જ જાણો! ૩૬૦ વર્ષથી ઊડતો જ રહેતો અખૂટ ફુવારો! છે અને એનાં પાત્રો? અમીર ઉમરાવ ને રાજકુમારી ને અપ્સરાઓથી માંડીને પ્રાકૃત માનવ-તેમ જ પશુ- જનો સુધીની સર્વ જીવસૃષ્ટિને તે સ્પર્શે છે! પાત્રમણિ કિવકસોટે તો અંગ્રેજી ભાષાને એક અમર-ભાવને માટે શબ્દ આપ્યો છે! એ ઉચ્ચ નરોત્તમના પ્રેમશૂરા જીવનના પ્રેરક