________________
२५
પ્રસ્તાવના લખવામાં મને જે શ્રમ પડયો છે, તેનાથી અર્ધા પણ ડ્રામ મને આ કથા લખવામાં પડયો નથી!”
એમ જ હું આ ‘આવકાર’ લખતી વખતે, – કલમ ઠોકીને અને તે ન ચાલે તો તેને જોરથી ખંખેરી શાહીના ડપકા નાખીને પણ, – તેના વાચકને કહી શકું છું કે, મહાન ડૉનનું આ લઘુ સંપાદન વાંચવામાં જે રમૂજાનંદ આવ્યો અને તે માટે શ્રમ-સમયનું ભાડું ભર્યું, તેનાથી કયાંય વધારે શ્રમ-સમય, આ પ્રાસ્તાવિક (અને ડૉન જેમ ઊંચા નહી તે, સાન્કો જેવા જાડા-પહોળા) લાંબા બે બોલ લખવામાં મારે આપવો પડયો છે; તથા તેમાં રમૂજાનંદની તો વાત જ ન પૂછો! તેને બદલે, ‘આવકાર’લખવાની જવાબદારી અદા કરવાનો ખિન્ન ત્રાસાનંદ ભલે કહો તો કહો!
*
પણ હવે આવકાર આપવાની વાત ઉપર આવું. આવકાર આપવા માટે મારે શું કરવું ઘટે? ઊંડા ને એકાંતિક વિચાર બાદ લાગે છે કે, આ એક જ કામ હોવા છતાં, તેને ચૂકતે કરવાને માટે મારે ‘દ્વિવિધા ’માં પડવાનું આવે, તો તેનો સામનો કરવો; – કેમ કે દ્વિવિધ રીતે આવકારનું કામ થઈ શકે; – પ્રકાશક આવકાર માગી માગીને એટલું જ માગે છે ને કે મારે એટલું કહેવું ઘટે કે, આ તેમનું લઘુ સંપાદન મને કેવું લાગ્યું? આવકાર આપું તો તેના કયા ગુણ પર મોહાઈને? અને એનો ઉત્તર દ્વિવિધ રીતે શકય છે એક તો એ કે, આ ગુજરાતી સારાનુવાદ,– નવા ડૉનકથાવતાર તરીકે, મને કેવો લાગ્યો? અને બીજું એ કે, મહાન ડૉન અને એમની મૂળ કથા વિષે શું કહું છું?-કે જે અત્યારે બે કદ-‘રૂપ’થી (જો જો, ‘કસ્તૂપ’ બોલી કે વાંચી બેસતા!) ગુજરાતની – અરે, મહાગુજરાતની – ભૂમિ પર અવતરે છે!
"
હજાર કરતાંય વધારે પાનની મૂળ કથા (અરે, ‘મૂળ’ નહિ, એકમાત્ર ઉઘાડી અંગ્રેજી જ્ઞાન‘દ્વારિકા’માંથી વાઈ આવેલી, ‘મૂળ-ભાડૂતી’ કથા)નું