________________
૨૨૮
ડૉન વિકસોટ! આ બધા નિયમોનું નું પાલન કરીશ, તો તારી કીર્તિ વધશે, તથા તને તારી મહેનતનો પૂરો બદલો આ લોકમાં મળી રહેશે તેમ જ પરલોકમાં પણ.
“તારી પોતાની રીતભાત માટે હવે બે શબ્દો કહું તે દયાનમાં રાખ: નખ વધવા ન દઈશ; કપડાં લઘરવઘર ન રાખીશ (કારણ કે કપડાંની લઘરવઘરતા મનની પણ લઘરવઘરતાનું ઘણી વાર પ્રતીક હોય છે); તારી આવક તપાસતો રહેજે અને તેના પ્રમાણમાં તારા નોકરી માટે સારા પોશાક વગેરેનું ખર્ચ કરતો રહેજે. નકામા બાહ્ય દિપકા પાછળ વધુ ખર્ચ કરવું નહિ; એટલા પૈસા ગરીબો પાછળ ખર્ચવા વધુ સારા.
“તારો શ્વાસ તારું ખેડૂતપણું પકડાવી ન દે તે માટે લસણ-ડુંગળીથી તેને બગાડતો નહિ,
બપોરનું ભોજન કે રાતનું વાળુ પેટ ઠાંસીને ન કરવું. પેટને ખોરાકથી ઠાંસી મારીએ, તો પછી બધા અવયવોને પોષણ પહોંચાડવાને બદલે તે રોગ જ પહોંચાડે છે.
પીધેલો માણસ ગુપ્ત વાત જાળવી શકતો નથી કે વચનનું પાલન કરી શકતો નથી; માટે પીધેલ ન બનતો.
ખાતી વખતે બંને તરફ એકસામટું ચાવવું પડે તેટલું બધું મોઢામાં ન ઓરતો. અને લોકોની હાજરીમાં ઓડકાર કે ઘચરકાં ન ખાતો. તને મોટેથી ઓડકાર ખાવાની ટેવ છે, એ ખેતરમાં ભલે ચાલે, પણ રાજદરબારમાં નહીં.
તને વાતચીતમાં કહેવતો ઠાંસી મારવાની ટેવ છે, તે ભૂલી જજે. કહેવતથી આપણું કહેવાનું ટૂંકમાં તથા સચોટપણે કહી શકાય છે ખરું; પણ નરી કહેવતો ભર્યા કરવાથી આપણું કહેવાનું જ કેટલીક વાર અધૂરું રહી જાય છે.”
સાન્કોએ કહેવતો ભર્યા કરવાની પોતાની કુટેવનો હસતાં હસતાં સ્વીકાર કર્યો અને પછી આ બધી સલાહો યાદ રાખવાની ખાતરી આપી.