________________
સ્કવાયરને નાઈટનો સદુપદેશ
૨૨૭ છાજે તેવું વર્તન શીખવજે; કારણ કે એ ગામડિયણ બાઈ તારો સાચો અને વફાદાર સાથી બનશે.
અને કદાચ તું વિધુર બને, અને તેને કોઈ સારા ખાનદાનની સ્ત્રી મળે, તો એટલું યાદ રાખજે કે તારી અજાણમાં તે લાંચ-રૂશવત લેવાનું શરૂ કરી, તારી આબરૂ ધૂળ ન મેળવે; એ બધી ખાનદાન સ્ત્રીઓ પૈસાની બાબતમાં બહુ નાદાન હોય છે; કહો કે, પૈસાની જ સગી હોય છે.
“ગરીબોનાં આંસુ જોઈ દયાવૃત્તિ ધારણ કરજે; પરંતુ તારી ન્યાયવૃત્તિને તેથી આંચ ન આવવા દઈશ.
“સત્ય શોધીને ન્યાય ચૂકવવા બેસે, ત્યારે જરૂર કરતાં વધુ કઠોર બનવા ન તાકીશ. ન્યાયાધીશ ક્ષમાશીલ બને એ તેનું અપલક્ષણ ન કહેવાય; પણ કઠોર બને, એ જરૂર તેનું અપલક્ષણ કહેવાય.
ન્યાયની કઠોરતા હળવી કરવામાં માત્ર દયા-વૃત્તિને જ તારો હેતુ બનવા દેજે; લાગવગ કે લાંચરુશવતને નહિ.
તારો દુશ્મન પણ તારી સામે આરોપી કે ફરિયાદી થઈને આવે. છે ત્યારે તારી આંખો તેના ચહેરા ઉપરથી હઠાવી લઈ, સત્ય હકીકત ઉપર જ સ્થિર કરજે.
“કોઈ સુંદર સ્ત્રી તારી પાસે ન્યાય માગવા આવે, ત્યારે તારી આંખો તેનાં આંસ ઉપરથી અને તારા કાન તેના વિલાપો ઉપરથી ખસેડી લેજે; અને તેની અરજીનો તરત ફેંસલો ન આપી દઈશ: વધુ વખત લેજે. સ્ત્રીના નિસાસા અને આંસુમાં આપણી વિવેકબુદ્ધિ ડૂબી જતી અટકાવવી બહુ મુશ્કેલ હોય છે.
“દુરાચારીઓને સજા કરતી વખતે અપશબ્દો ન વાપરીશ : તેમની સજા સાથે સાથે ગલીચ ભાષા ઉમેરવાથી તેમને થયેલી સજાનું જોર હળવું થઈ જાય છે.
ગુનેગારોનો ન્યાય તોળતી વખતે એટલું યાદ રાખજે કે, જેમ ગરીબી અને કંગાલિયત વધારે, તેમ ગુનો કરવાનું પ્રલોભન વધારે. અલબત્ત, તેથી કરીને ફરિયાદીને અન્યાય થઈ જાય તેવું હરગિજ ન થવું જોઈએ.