________________
૨૨૨
ડૉન કિવકસોટ! તે ઘોડાના કપાળમાં રહેલો ખીલો ફેરવવાથી તે તરત જ ઊંચે ઊડી પવન અને અગ્નિનાં સ્થાનકો ઓળંગી, ત્યાં થોડા વખતમાં જ આવી પહોંચશે.’ એટલે, જો આ મહાશય વિખ્યાત નાઈટ લા માંશા જ હોય, અને તે અમારા દુ:ખના નિવારણ અર્થે તે દુષ્ટ રાક્ષસ સાથે લડવા કબૂલ થાય, તો તે ઘોડો રાત પડયા પછી અર્ધા કલાકમાં અહીં જ આવીને રજૂ થશે એ અમારી વાતની સચ્ચાઈની નિશાની છે.”
ડૉન કિવકસોટ આ અદ્ભુત કહાણી સાંભળી તરત ગળગળા થઈ ગયા. તેમણે તરત એ ઘોડો આવે તો તેના ઉપર બેસી કૅન્ડાયા રાજ્યમાં જઈ એ દુષ્ટ રાક્ષસ માલાંબુ નોને હણવાનું વચન આપ્યું. પેલી કાઉન્ટસ બિચારી તે સાંભળી ગળગળી થઈ ગઈ અને લાંબી થઈ ડૉન વિકસોટના પગમાં આળોટી ગઈ. ડૉન કિવકસોટે તેને હાથ પકડીને ઊભી કરી.
હવે સૌ ઉત્સુકતાપૂર્વક લાકડાનો જાદુઈ ઘોડો આવવાની રાહ જોવા લાગ્યા. ડૉન કિવક્સોટને એક એક ક્ષણ પસાર થતી હતી તેમ અધીરાઈ, આવતી જતી હતી. કારણ કે, એ ઘોડો ન આવે તો પોતાને માટે એ પરાક્રમ નિયત થયું નથી એવું સાબિત થાય. જોકે, લા માંશા કહેવાય તેવો બીજો નાઈટ તેમની જાણમાં નહોતો જ.
પરંતુ થોડી વારમાં ચાર જંગલીઓ ખભા ઉપર એક લાકડાનો ઘોડો ઊંચકીને દાખલ થયા. તેઓએ એ ઘોડો ત્યાં મૂકયો; પછી તેમાંના એક મોટેથી જણાવ્યું, “હવે જે માઈનો પૂત નાઈટ હિંમત કરતો હોય તે અમારા માલિક સાથે લડવા તૈયાર થઈ જાય અને તેના સ્કવાયર સાથે આ ઘોડા ઉપર બેસી જાય. આ ઘોડાના કપાળમાં રહેલો ખીલો ફેરવવાથી તે તરત હવામાં ઊડશે. પણ તેની ઉપર બેસનારાઓએ આંખે પાટા બાંધી દેવા પડશે; કારણ કે એ ઘોડો પવન અને અગ્નિનાં સ્થાનકો વીંધીને પાર ઊડશે. એટલે તેમની આંખો જો બાંધેલી નહિ હોય, તો તે આંધળી થઈ જશે. અને આ ઘોડો અમારા માલિક પાસે જઈને ઊભો રહેશે એટલે તરત મોટેથી હણહણશે; તેને નિશાની જાણી, નાઈટ અને સ્કવાયરે પોતાની આંખો ઉપરના પાટા છોડી નાખવા.”
આટલું કહી તે જંગલી અને તેના સાથીદારો લાકડાના ઘોડાને ત્યાં મૂકી, જ્યાંથી આવ્યા હતા તે તરફ ચાલતા થયા.