________________
માયાજાળ છેદવાનો ઉપાય
૨૧૩ ક્યાં જાય છે? તેમ જ કોનાં લશ્કરો આમ આ જંગલમાં થઈ કૂચકદમ કરી રહ્યાં છે?”
પેલું ભૂત ખોખરા અવાજે બોલ્યું, “હું ભૂતોનો નાયક છું અને ડૉન કિવકસોટ દ લા માંશાને શોધવા નીકળ્યો છું. આ કૂચકદમનો અવાજ સંભળાય છે, તે તો આ જગતના મોટા છ માયાવી જાદુગરો આવે છે, તેમના રસાલાનો છે. એક રથમાં મંતરેલી ડુલસિનિયા ડેલ ટૉબોસોને લઈને નાઇટ મૉન્ટેસિનોસ પણ આવે છે; ડુલસિનિયાને માયા-જાળની અસરમાંથી મુક્ત શી રીતે કરી શકાશે, તેનો ઉપાય તે કહી બતાવશે.”
ડયૂકે તેને કહ્યું, “તું જો ખરેખર ભૂત હોય, તો તને વગર કહ્યું ખબર પડી જવી જોઈએ કે, ડૉન કિવકસોટ દ લા માંશા અહીં જ ઊભા છે.”
પેલાં ભૂતે જવાબ આપ્યો, “અત્યારે અમારા લોકોમાં તરખાટ મચી રહ્યો છે, એટલે મારા મગજનું ઠેકાણું રહ્યું નથી. છતાં, હું સાચે ઠેકાણે જ વગર વિચાર્યું પણ આવી પહોંચ્યો છું, એ જાણી મારા રાજીપાનો પાર રહ્યો નથી.” - પછી તેણે ડૉન કિવક્સોટ તરફ સીધા વળીને કહ્યું, “હે સિંહોવાળા નાઇટ, મને તારી પાસે બહાદુર પણ કમનસીબ મૉન્ટેસિનોએ મોકલ્યો છે. તે તને મળવા આ તરફ જ આવવા નીકળ્યા છે, તેમની સાથે તુલસિનિયા ડેલ ટૉબોસો નામે ઓળખાતી સ્ત્રી છે. તેને માયાજાળમાંથી શી રીતે છોડાવી શકાય તેનો ઉપાય એ તને કહેવા માગે છે. મારો સંદેશો પૂરો થયો, એટલે હું હવે ભાગું છું.” આમ કહી તે તરત એક બાજુ દોડી જઈ અદૃશ્ય થઈ ગયો.
ડયૂકે ડૉન કિવક્સોટને પૂછ્યું, “તમે અહીં થોભવા માગો છો કે કેમ?”
ડૉન કિવકસોટે કહ્યું, “જરૂર; ભલેને આખા નરકની ભૂતાવળ મને ઘેરી વળે, પણ હું તો બીન્યા વિના અહીં જ ઊભો રહેવાનો.”
રાત જેમ અંધારી ઘોર બનવા લાગી, તેમ તેમ જંગલની વચ્ચેથી આમ તેમ ગોબારા જેવા પ્રકાશ આકાશ તરફ ઊંચા જતા દેખાયા. અવારનવાર જુદી જુદી બાજુએથી હથિયારો અફળાતાં હોય અથવા ભડાકા