________________
અનેક અને મહત્ત્વની બાબતો વિષે થોડુંક
૨૦૭
સાન્કોએ તરત ઊભા થઈ ઘૂંટણિયે પડી કસમ ખાધા કે, તે જે કંઈ પૂછશે તેના પોતે સાચા જવાબ જ આપશે.
ડચેસે ખુશ થઈ તેને પાછું પોતાનું આસન સ્વીકારવા વિનંતી કરી અને પૂછ્યું, “ ઇતિહાસમાં જણાવ્યું છે કે, સ્કવાયર સાન્કો કદી લેડી ડુલિનિયાને મળ્યા જ ન હતા તથા તેમને ડૉન વિકસોટનો પત્ર પણ આપ્યો જ ન હતો; કારણ કે, પેલી નોંધપોથી તો તે સામેરા મૉરેના પર્વતમાં જ ભૂલી આવ્યા હતા. તેમણે ડૉન કિવકસોટને ગપ્પુ જ સંભળાવ્યું હતું કે, પોતે મળવા ગયા ત્યારે લેડી ડુલસિનિયા અનાજ ઊપણતાં હતાં. હવે સાન્કો જેવા વફાદાર સ્કવાયર પોતાના માલિકની પ્રેમરાજ્ઞી જેવાં લેડી ડુલનિયા માટે એવી વાત કેવી રીતે કરી શકે? માટે એ બધું એ ઇતિહાસ લખનારનું ગણું જ માનવું જોઈએ ને?”
""
સાન્કો આ સાંભળી તરત ઊભો થયો અને બારણા પાસે જઈ કોઈ બહાર ઊભું નથી એની ખાતરી કરી આવ્યો અને પછી બોલ્યો, ‘જુઓ,મ ડમ ડચેસ, હું જેવું છે તેવું સાચેસાચું કહી દઉં છું. મારા માલિક ડૉન કિવકસોટને હું છેક જ પાગલ માણસ ગણું છું. હવે હું તો તેમની બધી રગ જાણું, એટલે જરૂર પડયે માં-માથા વિનાની વાત પણ એમને ગોઠવીને કહી દઉં છું. તેને તે તદ્દન સાચી માની લે છે. એ કાગળ પહોંચાડવાની વાત પણ મારી ગપ જ હતી; અને એવી જ બીજી ગપ હમણાં જ મેં તેમને ગોઠવી આપી છે, જે હજુ છાપેલા પુસ્તકમાં આવી નથી; અને તે એ કે, લેડી ડુલસિનિયાને જાદુગરોએ પલટી નાંખ્યાં છે!”
પછી ડચેસના કહ્યાથી એ ત્રણ ગામડિયણોવાળો આખો પ્રસંગ તેણે પોતાની આગવી શૈલીમાં કહી બતાવ્યો, એટલે સૌ હસી હસીને બેવડાં વળી ગયાં.
ડચેસે હવે ઠાવકે મોઢે પૂછ્યું, “મને હવે બીજો એક પ્રશ્ન થાય છે કે, ડૉન કિવકસોટ દ લા માંશા જો આવા ગાંડા જ માણસ છે, તો સાન્કો પાન્ઝા તેમને ગાંડા જાણવા છતાં, તેમનાં વચનો ઉપર વિશ્વાસ રાખી તેમની સાથે ભટકવા શા માટે નીકળે? એટલે સાન્કો પાન્ઝા માલિક કરતાં પણ વધુ ગાંડા માણસ હોવા જોઈએ. તો પછી મૅડમ ડચેસ