________________
શિકારે નીકળેલી ચેસ.
૨૦૩ બંને હવે ડૉન કિવકસોટના આવવાની આતુરતાથી રાહ જોવા લાગ્યાં. તેમણે ડૉન કિવકસોટના ઇતિહાસનો પ્રથમ ભાગ વાંચ્યો હતો; અને એ મૂર્તિને પોતાને ત્યાં રાખી, નાઈટ લોકોની જૂની ચોપડીઓમાં વર્ણવેલી રીતે જ તેમનો આદરસત્કાર કરી, મજાક કરી લેવાની પૂરી મરજી તેમને હતી.
ડૉન કિવકસોટ જે જુસ્સાથી સામે આવી રહ્યા હતા, તે ઠસ્સાથી રોઝિનેન્ટી ઉપરથી ઊતરી શક્યા નહિ; કારણ કે, સાન્કોએ આવીને ઊતરતી વખતે તેમનું એક બાજુનું પેંગડું નિયમ મુજબ પકડી રાખ્યું હશે એમ તેમણે ધારેલું; પરંતુ સાન્કોનો પોતાનો પગ પોતાના ગધેડા ઉપરથી ઊતરતી વખતે પેંગડા તરીકે રાખેલા દોરડાના ગાળિયામાં અચાનક ભરાઈ ગયો; અને તેણે રોઝિનેન્ટીના નંગ પણ ધૂંધવાટમાં બરાબર બાંધેલા નહિ, એટલે ડૉન કિવકસોટ જેવા એક પેંગડા ઉપર ઊભા થઈ ઊતરવા ગયા, તેવું જ આખું જીન ઘોડાના પેટ સુધી ખેંચાઈ આવતાં તે વિચિત્ર રીતે જમીન ઉપર ફસડાઈ પડયા.
ડૉન કિવકસોટ મનમાં ને મનમાં સાન્કોને તેની બેદરકારી અને આળસ બદલ ગાળો ભાંડવા લાગ્યા; પણ ચૂક અને તેમનાં માણસોએ , જઈ બંનેને તેમની કઢંગી સ્થિતિમાંથી છોડાવ્યા.
પોતાના મુલકમાં પધારવાની પ્રથમ ક્ષણે જ આવો અકસ્માત થયો તે બદલ ડયૂકે ખેદ વ્યક્ત કર્યો. પરંતુ ડૉન કિવન્સોટે દરબારી ભાષામાં જવાબ વાળ્યો, “આપની મુલાકાત થઈ એ આનંદની તુલનામાં આવું તેવું જે કંઈ બને, તે તો કંઈ વિસાતનું ન લાગે; હું ભલે નીચે ગબડેલો દેખાયો હોઈશ, પરંતુ આપની મુલાકાતના બહુમાનથી હું કેટલો ઊંચો ઊઠયો છું, તે હું જ જાણું છું. પણ ગબડી પડેલો હોઉં કે ટટાર ઊભેલો હોઉં, છતાં મને આપનાં માનવંત મહોરદારની સેવામાં હંમેશ ખડો રહેલો જ જાણજો. મેં “માનવંત' શબ્દ જોખીને વાપર્યો છે, કારણ કે, તે ખરેખર સૌંદર્યનાં રાજ્ઞીપદના માનને પાત્ર છે, એટલું જ નહીં, પરંતુ વિનય-વિવેકનાં સમ્રાજ્ઞીપદના બહુમાનને પણ પાત્ર છે.”
ડયૂકે તરત જ વચ્ચે વાંધો ઉઠાવીને કહ્યું, “એ અભિપ્રાયમાં મને તમારાથી જુદો પડવા પરવાનગી આપશો; કારણ કે, જ્યાં જગતભરનાં