________________
२२
-
પ્રશાંત રસની કલા-સમાધિનું જ ફળ હોય છે; તે વિનાનો રસ કલારસ નહિ, પણ વિષય-રસ કે ઇંદ્રિય-૨સ જ બહુધા હોય,— કે જેવું આજે સંભોગ-શૃંગારાદિના અશ્લીલ લાંપટય-રસિક સાહિત્યમાં પ્રાય: જોવા મળે છે. પણ આ તો હું, ડૉન-કથાના ચેપમાં, રસમીમાંસાની પવનચક્કી ઉપર કૂદી પડવા કટિબદ્ધ થયા, એવું વાચકને લાગે, તો વાચક ફરી ક્ષમા કરે; — વાત પર આવું.
બીજું એક કાકતાલીય સમય-સ્થાન આ સંપાદનના પ્રકાશનકાળે એ છે કે, કેન્દ્રીય સરકારે વિશ્વ-સાહિત્યની ઉત્તમ કૃતિઓને દેશની બધી ભાષાઓમાં ઉતારવાની યોજના કરી છે; તેમાં સર્વાન્ત (અંગ્રેજીમાં તેને સર્વાન્ટિસ બોલાય ને?) -ની આ કૃતિને સ્થાન મળ્યું છે: તે અનુસાર આ ડૉન-કથાનો પૂર્ણ અનુવાદ “ડૉન કિહોટે” નામે બહાર પડયો, તે પણ આ જ વખતે બને છે! આમ સારાનુવાદ રૂપે આ લઘુ ડૉન-કથાને પ્રગટવા માટે આવું રૂડું ચોઘડિયું ઘડાયું છે!
૨
આ પૂર્ણ અનુવાદનું નામ ‘કિહોટે’ વળી શું? એવી શંકા થઈ બેસે એવું છે. તો જ્ઞાનયુદ્ધની એ ડાકણનો નાશ કરીને જ આગળ વધી શકાય; અને તેમ તેના વિદ્વાન અનુવાદકે ઉદ્યમપૂર્વક કર્યું છે.
વાત એમ બની કે, આ સરકારી અનુવાદ-કામ કરવા અંગે એ કૃતિની જન્મભૂમિ સ્પેનની ખાસ યાત્રા તે કરી શકયા; તે દરમિયાન, એ ત્યાં જોઈ આવ્યા કે, અંગ્રેજીની જ્ઞાનની બારીમાંથી – કહો કે, અંગ્રેજી ‘દ્વારિકા ’થી જ્ઞાનવાન બનેલો વર્ગ જેને, (તે વિષેના સત્યના દ્વાર-દેશને જોયા વિના,) ‘ કિવકસોટ’ કે ‘ કિવઝ્ઝોટ’ કહી મારે છે, — છતાં જ્ઞાનગર્વ ધરી શરમાતા નથી! – તેમણે શરમપૂર્વક જાણવાની જરૂર છે કે, મહાન કથાનાયક ડૉનનું સાચું નામ ‘કિહોટે’ જેવું કાંઈક તેના વતનના મૂળ વતનીઓમાં બોલાય છે.
-
અને આથી કદાચ પેલા ધ્વનિ-પરાયણ ભાષાશાસ્ત્રીઓ, – કહો કે, ધ્વન્યાલોચકો, – (‘લિંગ્વિસ્ટિક્સ'વાળાઓ) છેડાઈ પડે ને કહી વાળે કે,