________________
આવકાર
“માનવતાનું બાઈબલ વિશ્વ-સાહિત્યમાં અમર થયેલી આ સ્પેનિશ કથાનો સચિત્ર સારાંશ ગુજરાતી ભાષામાં ઊતરતો જોઈને તેને સહર્ષ સ-વિનોદ આવકાર આપવા પૂરતા બે બોલ લખું છું; ખાસ તો, તેમાં એ જવાબદારીને લઈને કે, તેના આ ઢબના સંપાદનનું નિમિત-કારણ વરસો પરની એવી મારી માગણી હતું.
આ “બે બોલ” જરા લાંબા લાગે, તો તે માટે ક્ષમા માગવાનો વિવેક શરૂમાં જ કરી લઉં. જોકે, લાંબું ટૂંકું થાય એ તો ડૉન-કથાને બંધબેસતી વાત ને? અસ્તુ.
ઈસ્વી સનના આ વરસે તે બહાર પડે છે, એમાં અમુક કાકાલીય વિનોદ-સ્થાન નહિ? આપણી ભાષાના સાહિત્ય-ક્ષેત્રના આ વર્ષે, તેના રસ-સ્વામી-સ્થાને વિનોદ અને હાસ્ય બિરાજે છે. કામરસની માયા મોહિની જો કામ ન કરતી હોત તો, મને લાગે છે કે, રસમીમાંસકોએ શૃંગારને રસરાજ કહેવાને બદલે વિનોદ-હાસ્યનો જ તે સ્થાને અભિષેક કર્યો હોત.
| વિનોદ-વ્યંજક હાસ્ય સર્વ રસોમાં પ્રબળ રસ છે: કોઈ પણ રસની વાટે પણ પોતે પ્રગટી શકે એવો સૂક્ષ્મ બહુરૂપી રસાત્મક ભાવ વિનોદ છે. આ પુસ્તકમાં વીર, કરુણ, શૃંગાર,- અરે બીભત્સ અને અભુત પણ!– લગભગ બધાય રસ વાટે હાસ્ય ઝરતું જ રહે છે. કેમ કે, હાસ્ય-બીજ મૂળ જ્ઞાનોભવ છે! તે તે વિભાવની સમભાવી સમજબુદ્ધિમાંથી જન્મે છે. હાસ્યનો આસ્વાદ કરવાને માટે, સમ-વિષમના વિસંવાદી ઠંદ્વથી પર થઈ, પ્રશાંત ભૂમિકા પકડવાની અમુક તંદ્રતીત – ભલે તાત્કાલિક ને ક્ષણિક છતાં, – પ્રજ્ઞાન-સમાધિ કારણ બને છે. તેથી જ બહેરી મંદબુદ્ધિ બે વાર હસે છે કે બોત પેઠે બને છે. આમ તો દરેક રસાસ્વાદ તે તે સ્થાને