________________
બીજો ભાગ લખ્યો, એટલું જ નહિ, પણ પેલી ‘દૃષ્ટાંતરૂપ નવલકથાઓ પણ લખી. એ નવલકથાઓને દૃષ્ટાંતરૂપ’ કહેવાનું કારણ એટલું જ હતું કે, તેની બીજી વાર્તાઓની પેઠે તે કેવળ ઠઠ્ઠામશ્કરીરૂપ ન હોઈ, એકાદ સગુણને અનુસરણ માટે રજ કરતી હતી.
અલબત્ત, એ દસકા દરમ્યાન જ તેને વધુ દુ:ખો અને સંકટો સહન કરવાનાં પણ આવ્યાં. પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો તેને એક વરસ પૂરું થાય તે પહેલાં જ તેને વલ્લાદૉલિદમાં ખોટી રીતે કેદ પકડવામાં આવ્યો : તેના કંગાળ ઘરની સામે એક પ્રેમી-જનનું ખૂન થયું; સર્વાત તો તે વખતે આરામ કરતો હતો, પણ પેલાની ચીસો સાંભળી, નીચે દોડી આવી, પેલાની થાય તેટલી સારવાર કરવા લાગ્યો હતો.
પરંતુ સૌથી વધુ આઘાત તો તેને ઈ. સ. ૧૬૧૪માં ‘લૅન કિવકસોટ'નો બનાવટી બીજો ભાગ પ્રસિદ્ધ થયો, તેનાથી પહોંચ્યો. એના લેખકે પહેલા ભાગના લેખકને શરમમાં નાંખી દે તેવાં અપમાનો એ ભાગમાં ભર્યા હતાં. સર્વાત ખૂબ ગુસ્સે થઈ ગયો, અને પછી તેણે ખૂબ ઉતાવળમાં તથા આવેશમાં આવી જઈને પોતાના ગ્રંથનો બીજો ભાગ લખ્યો (ઈ. સ. ૧૬૧૫).
છતાં, એક વાત નોંધવી જોઈએ કે, સર્વોતને વેઠવી પડેલી મુશ્કેલીઓથી તેનું અંતર કદી કડવાશભર્યું કે ખિન્ન થઈ ગયું ન હતું. છેક છેલ્લા દિવસ સુધી તે કંગાલિયતમાં જ સબડતો રહ્યો; છતાં તેણે એ બધો દુ:ખભાર હસી કાઢયો હતો. ગમે તેવા દુ:ખદરિયાને માનવ આત્મા કેવી રીતે હસી કાઢી શકે, એનો સર્વાત ઉત્કૃષ્ટ નમૂનો છે. પોતાના મહા-ગ્રંથમાં તેણે એ જ વસ્તુનું પ્રતિબિંબ પાડ્યું છે કે, આદર્શસેવી માણસ ભલે ગાંડો ગણાય, અથવા ભલે ગમે તેવી મૂર્ખાઈઓ કરી બેસે; છતાં છેવટે એવા મનુષ્યોથી માનવજીવન તથા જગત સમૃદ્ધ જ થાય છે.
સાહિત્યમાં હાસ્યરસનો ઉપયોગ કરી, માનવજીવનની આ આદર્શયાત્રાની કરુણતાને અને ઉજજવળતાને રજૂ કરવાનો એ અદ્ભુત પ્રયોગ છે. અને તેથી જ એ સાહિત્યકૃતિની માનવ ‘અપીલ કદી ખૂટતી નથી, તથા સર્વ કાળે અને સર્વ સ્થળે નિત્યનુતન રહે છે...