________________
જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૧ “મૂરખ માણસ, હું તો જરાય જાદુની અસર હેઠળ નથી આવ્યો. ઊલટો મલિનની જાદુ-વિદ્યાનો નાશ કરીને હું એ સૌનો ઉદ્ધાર કરીશ એ આશાએ તો એ સૌ લોકમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાયું હતું. ઉપરાંત ત્યાં મેં મારી પ્રેમરાજ્ઞી ડલસિનિયાને પણ જોઈ અને તેની બે સખીઓને પણ – તેમના મૂળ સુંદર સ્વરૂપમાં! જો ત્યાં હું જાદુઈ વિદ્યાની અસર તળે હોઉં, તો મને તેઓ તેમને મૂળ સ્વરૂપે શી રીતે દેખાય? પરંતુ તમે બધા જ અહીં બહાર રહ્યા રહ્યા, મારા પેલા દુશ્મન જાદુગરની અસર હેઠળ આવી ગયા છો, જેથી ત્રણ દિવસ અને રાતને તમે એક કલાક જેટલાં જ જાણો છો અને જુઓ છો.”
પેલો વિદ્યાર્થી તથા તેનો મિત્ર સમજી ગયા કે, આ નાઈટ તેમ જ તેનો સ્કવાયર બંને જણ મૂર્ખ છે અને નાઈટ ખરેખર નીચે ઊતરવાને બદલે પેલી બખોલમાં વચ્ચે જ પેસી જઈ ત્યાં નિરાંતે ઊંઘ ખેંચીને અને સ્વપ્ન જોઈને બહાર આવ્યો છે. પણ એ બાબત આ લોકો આગળ કશી તકરાર કરવાને બદલે તેઓ રાત પડે તે પહેલાં ત્યાંથી કોઈ વીશીમાં પહોંચી જવાય તે માટે ઊપડ્યા.
જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે
પેલો વિદ્યાર્થી મનમાં વિચાર જ કર્યા કરતો હતો કે, બીજી રીતે સમજદાર અને ડાહ્યા લોકો, આવી રીતે પોતાની જાતને છેતરવા જેટલા મૂર્ખ શી રીતે બની જતા હશે? અતિશય ઉટપટાંગ વાચનથી મગજમાં ધૂન ભરાઈ જાય, અને તેનાં આવાં પરિણામ આવે, એ જાણી તેને અતિશય નવાઈ લાગી. આ બાબતનો વિશેષ અભ્યાસ કરવા તેણે આ નાઈટ સાથે જ પોતાની મુસાફરી થોડી લંબાવવા વિચાર કર્યો.
અંધારું થતાં થતાંમાં તેઓ એક વીશી આગળ આવી પહોંચ્યા અને તેમાં તેઓએ ઉતારો કર્યો. આ વખતે આ વીશીને ડૉન કિવક્સોટે કોઈ