________________
૧૯૦
ડૉન કિવકસોટ!
બેલેર્માને પહોંચાડ્યું હતું. તે બહુ બહાદુર માણસ હોવાથી તેનું હૃદય પૂરું બશેર વજનનું થયું હતું. એ બહાદુર નાઈટ ગુજરી ગયેલો છે, છતાં હજુ તે વચ્ચે વચ્ચે અમળાઈ ઊઠે છે અને ચીસ પાડી ઊઠે છે. પાંચસો વર્ષથી અમે આમ અહીં મંત્રબળથી પુરાઈ રહેલા છીએ; દરમ્યાન બેલેમની તહેનાતબાનુ, તેની સાત દીકરીઓ તથા બીજાં ઘણાં પરિચિત સંબંધીઓ ગુજરી ગયાં છે, તેઓ જ સ્પેન દેશનાં નદીઓ તથા સરોવરો રૂપે અવતર્યો છે. અમને કહેવામાં આવ્યું છે કે, ડૉન કિવકસોટ દ લા માંશા
જ્યારે જગતમાં જન્મશે અને નાઈટ-લોકોની પ્રણાલી ફરીથી સ્થાપિત કરશે, ત્યારે તેમને પ્રતાપે મલિન જાદુગરનું મંત્ર-બળ નાશ પામશે અને અમારો પુનરુદ્ધાર થશે.
આ બધી વાતચીત દરમ્યાન ઘણો વખત વીતી ગયો. મને તેણે ઘણી ઘણી વસ્તુઓ બતાવી, તથા તેમને વિષે માહિતી આપી.
“એક જગાએ અમે વાતો કરતા ઊભા હતા, તેટલામાં તો ત્યાં ડુરેન્ડાર્ટ અને બેલેર્માનાં પરિવાર-પરિજનનું એક શોકઘેરું મોટું સરઘસ આવી પહોંચ્યું. મહાસુંદરી બેલેર્મા પણ તે સરઘસમાં હતી. શોકને લીધે તેના મોંની કાંતિ ફીકી પડી ગઈ હતી.”
પણ પેલો વિદ્યાર્થી હવે બોલી ઊઠ્યો, “તમે થોડી જ વાર તો ત્યાં રહ્યા, તેવામાં આ બધું કેવી રીતે જોઈ શક્યા?”
“હું આ ગુફામાં કેટલો સમય રહ્યો હતો એમ તમે માનો છો?” “માંડ એક કલાક રહ્યા હશો વળી.” “જાઓ જાઓ, ત્રણ દિવસ અને ત્રણ રાત મેં ત્યાં ગાળ્યાં છે.” “તો એ દરમ્યાન ત્યાં તમે કશું ખાધું હતું?”
“ના રે, એ લોકો ત્યાં કશું ખાતાપીતા નથી, તથા ઊંઘતા પણ નથી.”
પણ માલિક, તમે અંદર ઊતર્યાને એક કલાક પણ થયો નથી, અને તમે તેમાં ત્રણ દિવસ અને રાત ગાળી આવ્યા એમ કહો છો, તો જરૂર ત્યાં પેઠા પછી તમારા ઉપર પણ પેલા મલિનના જાદની જ અસર પહોંચી હોવી જોઈએ.” સાન્કોએ કહ્યું.