________________
૧૮૮
ડૉન કિવકસોટ! લાગ્યો. કારણ કે, દોરડાનો છેડો હાથમાં આવે તો જ કલ્પના કરી શકાય કે ડૉન કિવસોટનું શું થયું હશે.
પણ થોડી વાર પછી અચાનક દોરડાને છેડે અતિશય વજન લાગવા માંડયું. અને તે જાણી તેઓને પાછી આશા બાંધાઈ. થોડી વાર બાદ તો તેઓ ડૉન કિવકસોટને ઉપર ખેંચાઈ આવતા જોઈ પણ શકયા. છેક ઉપર આવી ગયા પછી સાન્કોએ રાજી થઈ તેમને બોલાવ્યા. પરંતુ ડૉન વિક્સોટની આંખો મીંચેલી હોઈ, તેમણે કશો જવાબ ન આપ્યો.
આ લોકોએ ઝટપટ દોરડાના બંધ છોડી નાંખ્યા અને ડૉન કિવકસોટને જમીન ઉપર સુવાડી ખૂબ ઢંઢોળવા માંડ્યા. થોડી વારે તે પોતાનાં અંગો હલાવવા લાગ્યા અને પછી તો ગાઢ ઊંઘમાંથી જાગી ઊડ્યા હોય તેમ તેમણે આંખો ઉઘાડી. તેમણે તરત આ લોકોને ભાંડવા લીધા, તેમણે કહ્યું, “ભલાદમીઓ, તમે મને આમ પાછો શા માટે ખેંચી લીધો? અંદર હું કેવા અગત્યના કામે લાગ્યો હતો! મારા તે બધા સાથીઓ કયાં ગયા? અરેરે, આ તમે શું કર્યું?”
પેલાઓ તેમને પૂછવા લાગ્યા કે, “તમે કોની વાત કરો છો? તથા તમે નરકની આ બખોલમાં શું જોયું?”
ડૉન કિવકસોટે કહ્યું, “ખબરદાર, જો એને નરકની બખોલ કહી તો! પણ એ બધું હું તમને પછી કહીશ; પહેલાં મને ખાવાનું આપો; મને ખૂબ ભૂખ લાગી છે.”
પેલાઓએ તરત શેતરંજી જેવું પાથરી દીધું અને સાથે આણેલી ખાવાની ચીજો તેમની સમક્ષ રજૂ કરી દીધી. બધા હવે રાજી થતા ભોજન કરવા લાગ્યા.
જ્યારે ભોજન પૂરું થઈ રહ્યું, ત્યારે ડૉન કિવકસોટે પોતાની કહાણી શરૂ કરી –
“હું દસ-પંદર મથોડાં અંદર ઊતર્યો હોઈશ, ત્યાં તો નીચેનું અંધારું અને ઊંડાણ જોઈ કંપી ઊઠ્યો; એટલામાં અચાનક મારો પગ જમણી બાજની એક બખોલમાં લાગ્યો. ખચ્ચરો જોતરેલું આપ્યું મોટું ગાડું ઊભું રહી શકે તેવડી મોટી તે બખોલ હતી. નીચેની અંધાર-ખીણમાં કશું દેખાતું ન હતું અને ત્યાં સુધી મને લઈ જનાર કોઈ ભોમિયો ન હતો,