________________
સિંહોનો પરાજય
૧૮૩
જાઓ, જેથી અમે પાસેના ગામમાં પહોંચી જઈ, તેમના ખાવાની ઝટપટ જોગવાઈ કરીએ.”
<<
વાહ, મારા દુશ્મનોએ હવે મને ડરાવવા આ સિંહો મોકલ્યા છે, કેમ ? અરે . ડૉન કિવકસોટને વે તેવો સિંહ હજુ જનમવો બાકી છે. ચાલ ભાઈ ગાડાવાળા, તું જ ખસી જા, અને હે ભાઈ પાલક, તું એ પાંજરાંનાં બારણાં ખુલ્લાં મૂકી દે, જેથી હું એ કુરકુરિયાંને જરા પાઠ શીખવાડું કે, ડૉન કિવકસોટ દ લા માંશાને ડરાવવા નીકળવા માટે તેમને હજુ વાર છે!”
સાન્કો આ સાંભળી તરત આગળ દોડી આવ્યો અને પોતાના માલિકને સમજાવવા લાગ્યો; પેલો સદ્ગૃહસ્થ પણ તેમને પાછા વાળવા લાગ્યો. તેણે કહ્યું, “નાઈટ-મહાશય, તમારે જરૂર પરાક્રમો કરવાં જોઈએ; પરંતુ આ પાંજરાના સિંહો કંઈ તમારી સામે લડવા આવ્ય′ નથી; તેઓ તો રાજાજીને બક્ષિસ મળેલા છે. એટલે આપણે વચ્ચેથી તેમને માર્ગમાં, આમ અટકાવવા એ યોગ્ય ન કહેવાય.”
“અરે, મહેરબાન, તમે આ બાબતોમાં કશું સમજો નહિ; માટે તમે જ બાજએ ખસી જાઓ. એ સિહો મારે માટે મોકલેલા છે કે નહિ એ હું વધારે સમજું.” પછી તેમણે પેલા પાલક સામે જોઈને કહ્યું, ચાલ ભાઈ, આ બારણાં ખોલી નાખ, અને એ ભટોળિયાંને બહાર આવવા દે.’
66
""
પેલો ગાડાવાળો બિચારો કરગરવા લાગ્યો અને કહેવા લાગ્યો, માલિક, પહેલાં મને અને મારાં ખચ્ચરોને ગાડામાંથી છોડીને દૂર ભાગી જવા દો; નહિ તો હું પાયમાલ થઈ જઈશ. મારો તો નિર્વાહ જ એમની ઉપર છે.’
66
એ માણસ પોતાનાં ખચ્ચરો જલદી જલદી છોડવા લાગ્યો, તેવામાં પેલો પાલક મોટેથી સૌને સંબોધીને બોલ્યો, “જુઓ મહેરબાનો, તમે સૌ સાક્ષી છો; મારી મરજી વિરુદ્ધ મને ભાલાની અણી બતાવીને આ સિંહોને છૂટા મુકાવવામાં આવે છે. મને તો તે સિંહ-સિંહણ પિછાને છે એટલે કશું નહિ કરે; પણ બીજા જે લોકોના જીવ જાય, તેની જવાબદારી મારે માથે નહિ.
,,