________________
સિંહોને પરાજય
અમારા વાચકો ભારે વિચક્ષણ બુદ્ધિના છે, એમ માનીને જ અમે ચાલીએ છીએ; એટલે તેઓ સમજી ગયા હશે કે અરીસાવાળો નાઇટ ખરી રીતે સેસન કૅરેસ્કો જ હતો; અને પાદરી-બુઓ તથા હજામ સાથે સંતલસમાં ડૉન કિવકસોટને પાછા વાળવા તૈયાર કરેલી યોજના અનુસાર જ દ્રાદ્ધ લડવા નાઈટનો વેશ લઈને અહીં આવ્યો હતો. બીજી રીતે ડૉન કિવકસોટને બહાર જતા અટકાવવાનો ઉપાય ન રહેતાં, તેઓએ તંદ્રયુદ્ધમાં તેમને હરાવી, બે વર્ષ સુધી ગામ અને ઘર ફરી ન છોડવાની શરત તેમના ઉપર નાખવા ધારી હતી. તથા સ્કવાયર તરીકે તેમણે તેથી જ સાન્કોના મિત્ર પડોશી થૉમસ-સેસિલને પસંદ કર્યો હતો. તેને પણ સાન્કો પાછો ઘેર ફરે અને ખેતીના કામે લાગે, એવું કરવાની ઇચ્છા હતી.
પણ પરિણામ ઊલટું આવ્યું. તેમને જ ઘેર પાછા ફરવું પડ્યું, અને ડૉન કિવકસોટ તથા સાન્કો તો પોતાના વિજ્યપ્રસ્થાનમાં ઊલટા વધુ શ્રદ્ધાવાળા બની આગળ ચાલ્યા. રસ્તામાં તેમને પાસેના ગામનો એક સગૃહસ્થ ઘોડી ઉપર બેસીને જતો મળ્યો. ડૉન કિવકસોટે તેને રસ્તો કાપવામાં સોબત આપવા વિનંતી કરી. તેણે ડૉન કિવકસોટને મુખે તેમના નાઈટપણાનો અદભુત ઇતિહાસ સાંભળ્યો. તે બહુ ભલો માણસ હતો; તથા ડૉન કિવકસોટને મૂરખ કે વાયડો ગણવા છતાં તેની સાથે વિનયથી અને વિવેકથી વાતચીત કરતો રસ્તો કાપવા લાગ્યો.
તે સગૃહસ્થ ડૉન ડાયેગો દ મિરાન્ડાને એક પુત્ર હતો; તે ભણેલોગણેલો હતો, પણ બીજો કાંઈ ધંધો હાથ કરવાને બદલે કવિતાઓ રચવા અને ગાવાની ધૂને જ ચડી ગયો હતો.
૧૮૧