________________
અજબ પરાક્રમ
૧૭૭.
કૅસિડ્યિા દ લૅન્ડેલિયા છે. આ બધી વિગતોથી હવે મારા કહેવાની સચ્ચાઈ પૂરેપૂરી સાબિત થઈ જવી જોઈએ; અને છતાં કોઈના મનમાં શંકા રહી જતી હોય, તો મારી તરવાર મારી પાસે તૈયાર છે.” . ડૉન વિકસોટે હવે સમજૂતીપૂર્વક શાંતિથી દલીલ કરતાં કહ્યું, “મહેરબાન, ડૉન કિવક્સોટ મારા પરમ મિત્ર છે, એટલે તેમને હું મારી જાત જેટલા જ ઓળખું છું. તમે જે બધી વિગતો કહી, તે બધી અલબત્ત સાચી છે, પરંતુ તેમના કેટલાક માયાવી દુશમનો એવા દુષ્ટ છે કે, જેઓ તેમની અપકીર્તિ કરવા હંમેશાં તત્પર રહે છે. તેઓએ જ તેમના જેવી આકૃતિ ધારણ કરી, તમારી સાથે યુદ્ધમાં ઊતરી, તમારે હાથે હાર પામી, ‘ડૉન કિવકસોટ હારી ગયા' એવી બદનામી ઊભી કરવા પેંતરો રચ્યો છે. એના પુરાવામાં હું એ વાત ટાંકી શકું તેમ છું કે, બે દિવસ ઉપર જ તે માયાવીઓએ ડૉન વિકસોટની પ્રેમરાજ્ઞી ડુલસિનિયા ડેલ ટૉબોસોને લસણ-ગંધાતી એક ગામઠી સ્ત્રીના રૂપમાં પલટી નાખી હતી; જોકે, ડૉન વિકસોટનો સ્કવાયર તો તેને તેના મૂળ રૂપે જ જોઈ શકતો હતો. અને આટલાથી તમારી ભૂલ તમને ન સમજાતી હોય, તો ડૉન કિવકસોટ તરવારથી તમારી વાતનો ફેંસલો કરી આપવા સામે તૈયાર છે!”
પેલાએ જરા અજવાળું થાય એટલે, એ વાતનો ફેંસલો ઘોડા ઉપર બેસીને લડાયેલા યુદ્ધથી કરી લેવાનું કબૂલ કર્યું.
સવાર થતાં જ બંને નાઈટોએ પોતાના સ્કવાયરોને ઉઠાડયા અને દ્વયુદ્ધ માટે તૈયારી કરી. ડૉન કિવકસોટે દિવસના અજવાળામાં જોયું કે, પેલા નાઈટે આખા શરીરે અને મોંએ લોખંડનું નવું સુંદર ચકચકિત બખ્તર ધારણ કરેલું છે, અને તે બખ્તર ઉપર અર્ધ-ચંદ્ર આકૃતિના અરીસાઓ લગાવેલા છે. તેનો ભાલો બહુ લાંબો તથા મજબૂત હતો, અને તેને એક ફૂટ લાંબું પોલાદી ફળે બેસાડેલું હતું.
પેલા નાઈટ દ્વયુદ્ધની શરત તરીકે એવી માગણી રજૂ કરી કે, જે કોઈ વિજેતા નીવડે, તે હારેલા બાબત જે ઠીક લાગે તે ફેંસલો આપી શકે, અને પેલા હારેલાએ પછી તે પ્રમાણે અવશ્ય વર્તવું જોઈએ. ડો-૧૨