________________
મૃત્યુ-દેવનો રથ
૧૭૩
ચાળાચસકા કરે જ; વળી લોકોના તે બધા માનીતા હોય છે, એટલે લોકો પણ એમનો પક્ષ લેશે. તેમને છંછેડવામાં કાંઈ માલ નથી. અરે એક આવા ખેલાડીએ બે ખૂન કર્યાં હતાં, છતાં તેને જીવતો છોડી મૂકવામાં આવ્યો હતો ” ઇટ ઇટ.
પણ ડૉન કિવકસોટે તો આગળ વધવા જ માંડયું. પેલાઓ તેમનો વિકરાળ લડાયક દેખાવ જોઈ સમજી ગયા કે, તે મહાશય થોભશે નહિ. એટલે તેમણે ઝટપટ ગાડું થોભાવી હાથમાં મોટા મોટા પથ્થરો લીધા અને ડૉન કિવકસોટ પાસે આવે એની રાહ જોઈ ઊભા રહ્યા.
સાન્કો પરિસ્થિતિ પામી ગયો; તેણે તરત ડૉન વિકસોટ પાસે જઈને કહ્યું, “માલિક, તમે મને કહ્યું હતું કે, નાઈટ લોકો નાઈટ લોકો સામે જ લડાઈમાં ઊતરી શકે. આ લોકોએ કપડાં ભલે બાદશાહનાં પહેર્યાં હોય, પણ તેઓ છેવટે તો હલકટ ભાંડ-ભવૈયા વર્ગના કહેવાય. એટલે તે લોકો સામે શું કરવું તે તમારે મને સોંપી દેવું જોઈએ. ડૉન કિવકસોટે સાન્કોની સમજદારી માટે તેને ધન્યવાદ આપ્યા, અને હવે પોતાના ગધેડાનું વેર જે રીતે લેવું હોય તે રીતે લેવા તેને પરવાનગી આપી.
""
સાન્કોએ સાચા ખ્રિસ્તીની પેઠે કશો વેરભાવ રાખ્યા વિના તે લોકોને ક્ષમા આપી અને પોતાની શાંતિપ્રિયતા જાહેર કરી.
આ બેને દૂરથી જ થોભેલા અને પાછા વળવાની તૈયારી કરતા જોઈ, પેલા લોકો હવે ગાડામાં બેસી જોરથી હંકારી ગયા.