________________
૧૬૬
ડૉન કિવકસોટ! ડૉન કિવોટ ગુસ્સે થઈ ગયા; પણ સાન્કોએ તેમને ઠંડા પાડીને કહ્યું કે, “આ શહેરમાં મોટાં મોટાં મકાનો નાની નાની અંધાર-ગલીઓમાં બંધાવવાનો વિચિત્ર રિવાજ છે, એટલે એક જ વખત તમારો પ્રેમપત્ર લઈને હું અહીં આવેલો હોવાથી, હું પણ એ ગલી અત્યારે રાતના અંધારામાં તમને નહિ બતાવી શકે. વળી રાતે આ રીતે શહેરની ગલીઓમાં ફરીશું, તો લોકો ચોર માની આપણને સતાવશે; માટે મારી એવી સલાહ છે કે, આપણે જલદી શહેર બહાર નીકળી જઈએ અને પાસેની ઝાડીમાં આરામ કરીએ; પછી કાલે સવારે અજવાળું થશે એટલે પહેલા પ્રથમ હું એકલો આવીને એમનું ઘર બરાબર શોધી કાઢીશ તથા લેડી ડુલસિનિયાને મળીને, તમારા આવી પહોંચ્યાની ખબર આપીશ. પછી તે કહે ત્યારે આપણે તેમને મળવા આવીશું.”
ડૉન કિવસોટને સાન્કોની સલાહ ઉચિત લાગી. એટલે તેઓ તરત શહેર બહાર બેએક માઈલ જેટલા દૂર નીકળી ગયા.
પછી સવાર થતાં ડૉન કિવક્સોટે સાન્કોને શહેરમાં જઈ, લેડી ડુલસિનિયાનો મહેલ શોધી કાઢી, તેમને મળ્યા પછી જ પાછા આવવાની કડક તાકીદ આપીને પાછો મોકલ્યો. તેમણે કહ્યું, “સૌન્દર્યના એ જળહળતા સૂર્યને નજરે જોવાનું મહદ્ ભાગ્ય તને મળશે, અને તું એ દર્શનમાત્રથી જગતના સૌ સ્કવાયરોમાં સૌથી ભાગ્યશાળી સ્કવાયર બની રહીશ. તને તે શી રીતે આવકારે છે, તે તું બરાબર યાદ રાખજે. મારા આવ્યાની વાત સાંભળી તેમના મુખ ઉપરના રંગોમાં શો ફેરફાર થાય છે, તે બરાબર જોઈ રાખજે. તે જો સિહાસન ઉપર મખમલની ગાદી ઉપર બેઠાં હોય, તો આ બધી વાતચીત વખતે તે પડખાની કેવી હેરફેર કરે છે તે ધ્યાનમાં લેજે; અને જો તે ઊભાં હોય તો પગની કેવી હેરફેર કરે છે તે ધ્યાનમાં રાખજે. ઉપરાંત, તને તે બે કે ત્રણ વખત જે જવાબ આપે, તે પહેલાં કડક હતો અને પછી માયાળુ બન્યો, કે પહેલાં માયાળુ હતો અને પછી કડક બન્યો, તે બરાબર યાદ રાખજે. કારણ કે, આવી બધી ઝીણી ઝીણી વિગતો ઉપરથી જ હું તેમના અંતરના બધા ભાવો પૂરેપૂરા સમજી શકીશ. પ્રેમીજનોની બાહ્ય ચેષ્ટાઓ જ તેમના અંતરના ભાવોના પ્રતિબિંબરૂપ હોય છે. હું પાછો આવીશ ત્યાં સુધી