________________
૧૬૫
ટૉબાસામાં મેળવી લાવ્યા. નીકળવાને દિવસે બીજું કોઈ ન જાણે તેમ, સાન્કો અને ડૉન કિવોટ તેમના વિજ્યપ્રસ્થાને નીકળી પડયા. માત્ર ભલા પંડિતજી જ છૂપી રીતે તેમને વિદાય આપવા થોડોક રસ્તો તેમની સાથે સાથે આવ્યા.
પંડિતજી પાછા વળ્યા એટલે ડૉન કિવકસોટે સૌથી પ્રથમ ટૉબોસો જઈ લેડી ડલસિનિયાની કૃપાદૃષ્ટિ મેળવી લેવાનો વિચાર જાહેર કર્યો. એટલે તેમણે રોઝિનેન્ટીને અને સાન્કોએ તેના ડેપલ-ગધેડાને તે ગામને રસ્તે વાળ્યા. સાન્કોની ઝોળીમાં આ વખતે ખાધાખોરાકીની ચીજો તથા રોકડ નાણું બરાબર ઠાંસીને ભરેલાં હતાં.
(ટોબારોમાં
બીજે દિવસે સાંજના અરસામાં તેઓ બંને ટૉબોસોની લગોલગ જઈ પહોંચ્યા. ડૉન કિવસોટ પોતાની પ્રેમરાજ્ઞીની મુલાકાત થશે એ આશાએ ખૂબ ઉત્સાહમાં આવી ગયા. પરંતુ સાન્કો કદી ટૉબોસો ગયો જ ન હતો, અને લેડી ડુલસિનિયાને મળ્યો જ ન હતો. પોતે લેડી ડુલસિનિયાને ડૉન કિવકસોટનો પ્રેમ-પત્ર આપી આવ્યો હોવાની તેણે સારા મોરના પર્વતમાં ગપ જ મારી હતી. એટલે આજે ડૉન કિવન્સોટ લેડી ડુલસિનિયાના મહેલનો રસ્તો બતાવવા પોતાને કહેશે, તો પોતે શું કરશે, એ જ ચિંતા તેને સતાવવા લાગી.
રાત લગભગ અધવારી હતી; અને આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું. તે વખતે ડૉન કિવકસોટ લેડી ડુલસિનિયાનો મહેલ સૌથી મોટું અને ઊંચું મકાન જ હશે એવી ખાતરીથી પોતાના ઘોડાને એક દેવળ આગળ લઈ આવ્યા. સાન્કોએ તે જોઈને તરત કહ્યું કે, “આ તો દેવળ છે, અને બહુ શોધીએ તો આપણી કબરો કદાચ અહીં તો જડે!”