________________
" નવા પ્રયાણનો નિરધાર
૧૬૧ જાય. નાનાં છોકરાં પણ તે રાજી થતાં થતાં વાંચે છે; જુવાનિયાં તેનો અભ્યાસ કરે છે; અને ઘરડેરાં તેની પ્રશંસા કરે છે. અરે એ ચોપડી એટલી બધી વંચાય છે કે, નાનાં છોકરાં કોઈ દુબળો-પાતળો ઘોડો જુએ તો તરત કહે છે કે, આ રોઝિૉન્ટી ચાલ્યો. કોઈ ઉમરાવજાદાનું ઘર એ ચોપડી વિનાનું રહ્યું નથી. એક જણ વાંચી રહે કે બીજાએ વાંચવા તે ઉપાડી જ છે; એક જણ અહીં માગતો રહે અને બીજો તે ઝૂંટવી જાય છે.”
ત્યાર પછી બપોરે જમવાનો વખત થયો ત્યાં સુધી આ પંડિત નાઈટ-લોકોની વાર્તાઓ વિશે પ્રશંસાપાત્ર વર્ણનો કરતો રહ્યો; ૉન વિક્સોટને તો પોતાની કદર કરી શકે તેવો ભણેલો માણસ મળતાં પારાવાર આનંદ થયો.
જમ્યા પછી તેઓએ થોડો આરામ કર્યો અને સાન્કો તે દરમ્યાન ઘેર જઈ પાછો આવ્યો એટલે પાછી તે લોકોની વાતો ફરીથી શરૂ થઈ.
ડૉન કિવકસોટે કેરેસ્કોને પૂછ્યું, “એ લેખકે તેનો બીજો ભાગ લખાશે એવું કાંઈ સૂચન કર્યું છે કે કેમ?”
કૅરેસ્કોએ કહ્યું, “જરૂર, તેણે સૂચન કર્યું છે, પણ તે ન કરે તોય લોકો ક્યારના પોકારો કરી કરીને એ પુસ્તકનો આગળનો ભાગ માગવા લાગ્યા છે અને લેખકને ધૂળધમાં કંઈક વાતો સુધારીવધારી બીજો ભાગ લખવો જ પડશે. નહિ તો કદાચ તે શેરીમાં નીકળ્યો હશે ત્યારે લોકો તેને મારી બેસશે.”
સાન્કોએ કહ્યું, “એવાં ફાવે તેવાં ગપ્પાં લખવાની શી જરૂર છે? હું અને મારા માલિક થોડા જ વખતમાં ફરીથી અમારી વિજ્ય-યાત્રાએ નીકળવાના છીએ; એટલે તેને બીજો ભાગ શું, સોમો ભાગ લખવા માટે પણ જોઈતી સામગ્રી મળી રહેશે!”
તે જ ઘડીએ રોઝિનેન્ટી હણહણ્યો. એ વસ્તુને સૌએ ભારે શુકનરૂપ તથા જલદી બહાર નીકળવાના આમંત્રણરૂપ માની. ડૉન વિકસોટે જાહેર કર્યું કે ત્રણ યા ચાર દિવસમાં જ તે જરૂર ફરી વિજય-પ્રસ્થાન કરશે. આ વખતે કઈ બાજુ જવું એ બાબત તેમણે પેલા પંડિત કેરેસ્કોને જ પૂછ્યું. તેણે તરત જવાબ આપ્યો કે, ડૉ.—૧૧