________________
૧૫૮
ડૉન કિવકસોટ! માલિક, પણ હું જે કહું તેથી તમારે ખોટું ન લગાડવું.”
“ના, ના, ભાઈ, હું હુકમ કરું છું, તેથી જેવું હોય તેવું જ મને કહે.”
તો સામાન્ય લોકો તો તમને ગાંડા જ માણસ માને છે; સગૃહસ્થો એમ કહે છે કે, બેએક ખેતરવાળા તથા જેને એક ચીંથરું આગળ અને એક ચીંથરું પાછળ પહેરવા મળતું હોય તેવાને વળી, સદગૃહસ્થાઈનીય ઉપરવટ જઈ નાઈટ થઈ બેસવું છે! અને જે નાઈટ વર્ગના લોકો છે, તે તો તમારા જેવા જોડાને હાથે ટાંકો મારનારા અને મેશ ચોપડનારા ગામડાના કવાયરોને પોતાના વર્ગમાં આવતા જોઈ, નાકનું ટીચકું જે ચડાવે છે.”
ડૉન વિકસોટે કહ્યું, “જો ભાઈ, દુનિયાનો કાયદો છે કે, જેમ સદગુણનો દીવો વધુ ચમકી ઊઠે, તેમ તેના ઉપર બીજાની ઈર્ષા અદેખાઈની મેશ વધુ બાઝે. પ્રાચીન કાળના બધા વીરોને પોતાના સમયમાં અદેખાઈના અને નિદાના ભોગ બનવું જ પડયું છે. એ તો ભવિષ્યમાં જ તેવા લોકોનાં ગુણગાન થાય છે; અથવા સમકાલીન કોઈ ઋષિ જેવા લોકો હોય, તે જ તેમની સાચી કદર કરતા હોય છે.”
ખરીવાત, માલિક, બાલાગ્યુ કેસ્કોનો દીકરો ભણીગણી, પંડિત થઈને, સાલામાંકાની વિદ્યાપીઠમાંથી ગઈ કાલે રાતે જ ગરમાગરમ પાછો આવ્યો છે. તેણે તો મને એવી વાત કરી કે, તમો નામદારનો ઇતિહાસ તો કયારનો છપાઈ ચૂકયો છે. તેણે એમ પણ કહ્યું કે, મારું નામેય તેમાં છે તથા લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોનું પણ. મને તો નવાઈ લાગી કે, આપણી બધી જ માહિતી તેમાં કેવી રીતે છપાઈ ગઈ! મેં તો એકે એક માહિતી પહેલેથી માંડીને પૂછવા માંડી, તો દરેક વિગત થોડી ઘણી આડીવળી કરીને તેમાં લખેલી છે એમ મને જણાયું. એ બધું એ પુસ્તકોના લખનાર ક્યાંથી જાણી લાવતા હશે વારુ? તમારે એ પંડિતને મળવું છે? તમે કહો તો હમણાં જ તેને બોલાવી લાવું.” | ડૉન કિવસોટે કહ્યું, “અરે, તું જ્યાં સુધી તેને મારી ભેગો નહિ કરે, ત્યાં સુધી મને ખાવાનું પણ નહિ ભાવે. હજુ તો મેં કાપેલાં ડોકાનું લોહી મારી તરવાર ઉપરથી સુકાયું પણ નથી; ત્યાર પહેલાં એ બધાં