________________
ઈ. સ. ૧૬૦૩ના અરસામાં સર્વોત પોતાના હિસાબકિતાબમાં મળી આવેલી અનિયમિતતાઓનો ખુલાસો કરવા, તથા બની શકે તો વધુ રાજકૃપા હાંસલ કરવા, વલ્લાદૉલિદ ગયો. બાદશાહ ફિલિપ-૩ પોતાનો દરબાર ત્યાં લાવ્યો હતો. સર્વોત પોતાના કુટુંબ સાથે શહેરના કંગાળ લત્તામાં એક નાનીશી ઓરડી ભાડે લઈ રહેવા લાગ્યો. “ડૉન કિવકસોટ” પુસ્તકના પહેલા ભાગનો કંઈક હિસ્સો એ કોટડીમાં લખાયો હતો, એ નક્કી છે. એ કોટડી હજુ જેવી ને તેવી જાળવી રાખવામાં આવી છે, અને અનુકૂળ પરિસ્થિતિ અને સંજોગો હેઠળ જ લેખનકાર્ય કરી શકતા લેખકોએ એ કોટડીની એક મુલાકાત લેવા જેવી છે.
એ ઓરડીમાં સર્વોતના કુટુંબની પાંચ કે છ તો સ્ત્રીઓ જ રહેતી હતી! નીચે એક વીશી હતી અને ઉપર એક કુટ્ટણખાનું હતું. વીશીમાંથી કુટ્ટણખાનામાં જવાનો દાદર સવંતના ટેબલ પાસે થઈને જ પસાર થતો હતો,
સવતની ૫૮મી વરસગાંઠના અરસામાં જ, “ૉન કિવકસોટ”નો પહેલો ભાગ પ્રકાશક રોબજો છાપવા માટે સ્વીકાર્યો. તે સમાચાર લઈને જે દિવસે (તા. ૨૬-૯-૧૬૦૪) સત પોતાના આ કમરામાં આવ્યો હશે, ત્યારે તેને અને તેનાં કુટુંબીજનોને કેટલો હર્ષ થયો હશે, તે કલ્પી શકાય તેવું છે. કારણ કે, તેની ઉંમર થઈ હતી, તે અપંગ હતો, કંગાળ હતો, પૈસાની તંગી વેઠતો હતો, અને કદાચ બીમાર હતો. કારણ કે, જે જલોદર રોગથી આખરે તેનું મૃત્યુ થયું, તેની શરૂઆત આ અરસામાં થઈ ચૂકી હતી.
રોબશે એ ચોપડી માટે સર્વોતને શું આપ્યું હશે, તેની નોંધ તો મળતી નથી; પરંતુ, એ ચોપડી વેચાવાનો એને એટલો ઓછો ભરોસો હતો કે, એક કૅસ્ટિલે પ્રાંત માટે જ તેણે તેનો કૉપીરાઈટ લીધો હતો.
એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે તેના લેખકની સાહિત્ય-જગતમાં કશી ખ્યાતિ કે વગસગ હતાં નહિ. એટલે એ પુસ્તકની સફળતાનો આધાર કેવળ તેના આંતરિક ગુણ ઉપર જ હતો. અને કોઈની પણ કલ્પનામાં ન હોય તેવી સફળતા એ પુસ્તકને તરત મળી. “ડૉન કિવકસોટ’નો