SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ડૉન કિવકસોટ! જાણવું જોઈએ કે કિલ્લાનાં બારણાં એક વાર બંધ થાય પછી સવાર થયા વિના કદી ઊઘડે જ નહિ.” પેલાઓ ગઢ કિલ્લાની વાત સાંભળી, એને ગાંડો માની, તરત વધુ જોરથી દરવાજો ખટખટાવવા લાગ્યા. દરમ્યાન તેમાંના એકનો ઘોડો રોઝિગ્નેન્ટી તરફ આવ્યો અને રોઝિનૉન્ટીને સુંઘવા લાગ્યો. એટલે રોઝિનેન્ટી ચમકીને જરા આગળ ખસ્યો. પરિણામે ડૉન કિવક્સોટ પોતાના શરીરના આખા વજન સાથે કાંડા ઉપર જ ટિંગાયા અને અતિશય વેદના થતાં કરાંઝવા લાગ્યા. વીશીવાળી દરવાજા ઉપરનો ખટખટાટ અને ડૉન કિવકસોટના બરાડા સાંભળી તરત ઊઠયો અને તે તરફ દોડી આવ્યો. પેલા મુસાફરી પણ ડૉન કિવકસોટની સ્થિતિ જોઈ નવાઈ પામી ત્યાં જ દોડી આવ્યા. દરમ્યાન પેલી બટકીએ, સૌને જાગેલા જોઈ, પોતાનું તોફાન બહાર ન પડી જાય તે માટે, પેલાં દોરડું અંદરથી છોડી નાખ્યું, એટલે ડૉન કિવસોટ ધબાક લઈને જમીન ઉપર ગબડી પડયા. તેમણે કાંડા ઉપરનું દોરડું છોડી નાખ્યું અને પછી રોઝિૉન્ટી ઉપર ફાઁગ મારી તેને દૂર દોડાવી ગયા; પછી ભાલો સામો ધરી તે ઘોડાને દોડાવતા વીશી તરફ ધસી આવ્યા અને સૌને સંબોધીને કહેવા લાગ્યા – “જે કોઈ એમ કહેવાની હિંમત કરે કે, મને યોગ્ય કારણસર માયાજાળમાં બાંધવામાં આવ્યો ન હતો, તેની સામે, રાજકમારી મિકોમિકોન મને પરવાનગી આપે તો, અબઘડી હું યુદ્ધમાં ઊતરવા તૈયાર છું.” પેલા ચાર મુસાફરો ડૉન કિવકસોટના આ વિચિત્ર શબ્દોથી નવાઈ પામ્યા; વીશીવાળાએ તેમને બાજુએ લઈ જઈ ડૉન કિવક્સોટના ગાંડપણની વાત કરી. પેલાઓ હવે તેમના ઉપર લક્ષ આપ્યા વિના વીશીમાં અંદર ગયા. પણ ડૉન કિવકસોટે બરાડા પાડી પાડીને એ સૌને જણાવ્યું કે, “હું વચનથી બંધાયેલો છું, અને તેથી રાજકુમારીને તેમની ગાદીએ ફરીથી સ્થાપિત કર્યા વિના બીજા કોઈ યુદ્ધમાં ઊતરી શકતો નથી; નહિ તો તમે લોકો મને જવાબ આપ્યા વિના કે મારો પડકાર સ્વીકાર્યા વિના અંદર પેસી ગયા, તે બદલ તમને ખબર પાડી દેત!”
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy