________________
૧૪૨
ડૉન કિવકસોટ!
બધું માયાવી જાદુગરોની માયાથી દેખાય છે, એ હું તને કહે કહે કર્યું છું, તે ભૂલી ગયો ? ”
આ બે જણ વચ્ચે વાતચીત ચાલતી હતી, તે દરમ્યાન પાદરીગુવાએ ડૉન ફર્ડિનાન્ડ વગેરે સૌને ડૉન કિવકસોટના ગાંડપણનો ઇતિહાસ કહી સંભળાવ્યો, તથા તેમને પોતાને ગામ લઈ જવા માટે કેવી યોજના પોતે વિચારી હતી વગેરે વાત કરી. ફર્ડિનાન્ડે હસતાં હસતાં કહ્યું, “જે તમારું ગામ બહુ દૂર ન હોય, તો ડૉરોધિયા ભલે હજુ તમારી યોજના પ્રમાણે રાજકુમારી હોવાનો સ્વાંગ ચાલુ રાખે.”
પાદરી-બુવાએ જણાવ્યું,
અહીંથી માત્ર બે દિવસની જ
""
66
મુસાફરી છે.
એટલે ફર્ડિનાન્ડે આ યોજનામાં બધી રીતે સાથ આપવાનું ચાલુ રાખવાનું ડૉરોધિયાને જણાવ્યું.
પણ તે જ વખતે ડૉન કિવસોટ ભાલો-ઢાલ વગેરે લઈને ત્યાં દોડી આવ્યા અને ડૉરોધિયાને કહેવા લાગ્યા, “રાજકુમારી, આ મારો સ્કવાયર કહે છે કે, આપની બધી મહત્તા માયાજાળથી લુપ્ત કરી દેવામાં આવી છે, અને આપ હવે એક સામાન્ય સ્ત્રી બની ગયાં છો, તે વાત સાચી છે? અલબત્ત જેઓને નાઈટ-લોકોનાં પરાક્રમો અને તેમના ઉપર તથા તેમના આશ્રિતો ઉપર દુશ્મનો કેવી માયાજાળ બિછાવે છે, તેની ખબર ન હોય, તો એ વાત સાચી જ માની લે; પરંતુ હું તો એ માયાજાળની ભ્રમણાથી મુક્ત રહી, આપની સેવામાં આપના મુલકમાં પહોંચતાં સુધી વફાદારીથી લાગેલો જ રહીશ, એ કહી રાખું છું.”
ડૉરોધિયાએ તરત જ જવાબ આપ્યો, “નાઈટ-મહાશય, અલબત્ત, ગઈ કાલથી મારા ઉપર થોડા સારા તેમ જ ઘણા માઠા એવા પ્રસંગો આવી પડયા છે એ વાત સાચી; પરંતુ હું તો મૂળે જે હતી તે જ રહી છું, અને તમને બીજાઓ ગમે તે સમજાવે, પણ હું તો તમે આપેલા વચન ઉપર વિશ્વાસ રાખી, તમારી સાથે મારા મુલક તરફ જવા નીકળી છું, એ યાદ રાખજો.' ડૉન કિવકસોટે તરત સાન્કોને તેની મૂર્ખતા બદલ સખત ધમકાવી નાખ્યો. ફર્ડિનાન્ડ વગેરેએ પણ હવે કહેવા માંડયું કે, “અમે પણ,
""