________________
વીશીમાં શું બન્યું?
૧૪૧ “લગ્નવિધિ વખતે લ્યુસિન્ડાની છાતી ઉપરથી મળેલો પત્ર વાંચી મને ખબર પડી ગઈ કે, કાર્ડિનિયો લ્યુસિન્ડાનો પતિ છે. એટલે હું તરત જ લ્યુસિન્ડાને મારી નાખવા દોડ્યો, પણ તેનાં મા-બાપે મને પકડી રાખ્યો. હું ગુસ્સે થઈ ત્યાંથી તે વખતે ચાલ્યો ગયો, પણ પછીથી ગમે ત્યારે એ વેર લેવા આવવાનો મારો મનસૂબો હતો. પરંતુ થોડા જ વખતમાં મને ખબર પડી કે લ્યુસિન્ડા નાસી જઈને કોઈ મઠમાં દાખલ થઈ ગઈ છે. એટલે બીજા ત્રણ દોસ્તોને લઈ હું મઠમાંથી તેને ઉપાડી લાવવા નીકળ્યો. મઠનાં બારણાં તોડીને તો અંદર પેસાય નહિ, એટલે દરવાજો ખુલ્લો હોય એવા વખતની રાહ જોતા અમે બહાર થોભ્યા. પછી દરવાજો ઊઘડતાં જ હું મારા મિત્રો સાથે અંદર ઘૂસ્યો અને મઠમાંથી લ્યુસિડાને ઉપાડીને બહાર લઈ આવ્યો. પછી અમે વેષ બદલી તેને લઈ, અહીં આવી પહોંચ્યા. લ્યુસિન્ડાને મઠમાંથી ઉપાડી ત્યારે તે બેભાન થઈ ગઈ હતી. પછી ભાનમાં આવી ત્યાર બાદ તે રડ્યા કરતી હતી તથા નિસાસા નાખ્યા કરતી હતી; પણ એક શબ્દ મેંએથી તે બોલી ન હતી. પણ હવે ભગવાને કૃપા કરી છે, અને તેના તથા સૌના દુ:ખનો અંત આવ્યો છે.”
એકલા સાન્કોને આ બધી વાત સાંભળી દુ:ખ થયું; કારણકે, તેની રાજકુમારી મિકોમિકોના એક સામાન્ય ડૉરોધિયા બની ગઈ હતી અને તેને પીડનાર રાક્ષસ માત્ર ડૉન ફર્ડિનાન્ડ બની રહ્યો હતો. એટલે સૌને આનંદ ઉલ્લાસમાં વાતો કરતા મૂકી, તે પોતાના માલિકના ઓરડામાં પેસી ગયો અને તેમને ઢંઢોળીને ઊંઘમાંથી ઉઠાડીને બોલ્યો, “શું ઊંધ્યા કરો છો, માલિક! તમારાં બધાં સ્વપ્નો મિથ્યા જ નીવડયાં છે. તમે જેને રાજકુંવરી માનતા હતા તે તો કેવળ સાદું સીધું બૈરું છે, અને તમે જે રાક્ષસનું ડોકું કાપી નાખ્યું તે તો કેવળ દારૂ ભરેલી મશક જ હતી, જેના પૈસા પેલા સૌએ વીશીવાળાને ચૂકવ્યા ત્યારે આપણો છૂટકો થયો છે.”
ડૉન દિવસોટને સાન્કોના આ બધા પ્રલાપની કશી સમજ પડી નહિં; તેમણે તેને માત્ર એટલું જ કહ્યું કે, “આ વીશી વગેરે