________________
વીશીમાં શું બન્યું?
૧૩૯ ગયો. પણ તેણે પોતાના હાથમાંથી નાસી છૂટવા પ્રયત્ન કરતી લ્યુસિન્ડાને છૂટી મૂકી નહિ. તે હવે જીવ ઉપર આવીને છૂટવા પ્રયત્ન કરતી હતી. એટલામાં ડૉરોધિયાનો અવાજ સાંભળી બારણું ઉઘાડી બહાર આવેલા કાર્ડિનિયોને જોતાં જ ફર્ડિનાન્ડ અને લ્યુસિન્ડા બંને આશ્ચર્યચકિત થઈ, પથ્થરના પૂતળા જેવા બની ગયાં.
સિન્હાએ હવે ફર્ડિનાન્ડને છેવટની આજીજી કરી તથા કહ્યું, લૉર્ડ, હવે મને મારા પતિ પાસે જવા દો; તમે મને અત્યાર સુધી ઘણો ઘણો ત્રાસ આપ્યો છે, પણ હવે મારા પતિ આવી પહોંચ્યા છે. તમે હવે મને મારી નાખશો તો પણ વાંધો નથી; કારણકે, મારા પતિ નજરોનજર જોઈ શકશે કે, હું તેમને જ વફાદાર રહી છું, અને મરતા લગી હું બીજા કોઈની લાલચને કે બીકને તાબે થઈ નથી.”
ડૉરોધિયા હવે ભાનમાં આવી ગઈ હતી તથા આ બધી વાતચીત ઉપરથી જાણી ગઈ હતી કે, ડૉન ફર્ડિનાન્ડ સાથે જે બાઈ છે તે લ્યુસિન્ડા જ છે. તેથી હવે તે ફર્ડિનાન્ડને પગે પડીને આજીજી કરી કહેવા લાગી, “પ્રિય મિત્ર, મારા તરફ નજર કરો; તમે વચન આપીને જેને વર્યા છો તે હું તમારી ડૉરોધિયા છું. હું પણ તમને જ વફાદાર રહી છું તથા તમને ફરી પ્રાપ્ત કરવાની આશામાં જ્યાં ત્યાં રખડી છું. મને જો તમે પત્ની તરીકે સ્વીકારવા ન ઇચ્છતા હો, તો પણ મને તમારી દાસી તરીકે તમારી સાથે રાખો, જેથી આખી દુનિયાની બદગોઈમાંથી હું બચું તથા મારાં માબાપ પણ બચે. અમો સૌએ તમારું શું બગાડ્યું છે, જેથી અમને આમ આખી દુનિયામાં બદનામ અને હડધૂત થવા દીધાં છે? તમે સહેજ પણ કૃપા કરો, અને આપેલાં વચનો પાળો, તો અનેક જીવોનાં દુ:ખ, બેઇજજતી અને ત્રાસ દૂર થઈ જશે, તથા તેમનાં જીવન ભર્યા-ભાદર્યા થઈ રહેશે.”
સૌ ડૉરોધિયાના કરુણ વિલાપથી તથા તેની સુંદરતા અને સલૂકાઈથી પ્રભાવિત થઈ ગયાં. લ્યુસિન્ડાને તો ફના પકડી ન રાખી હોત તો, કયારની ડૉરોધિયાને પોતાની વહાલી બહેનની પેઠે જઈને વળગી પડી હોત.