________________
૧૭
વીશીમાં શું બન્યું?
૧
આ બધા લોકોની મુસાફરીનું લાંબું વર્ણન કરીને વાચકને કંટાળો આપવો ઠીક નથી. છતાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ અહીં નોંધી લઈએ: સાન્કોએ લેડી ડુલસિનિયા સાથેની પોતાની મુલાકાતનો પોતાનાથી બને તેટલો કલ્પિત અહેવાલ આપ્યો. તેમાં અજુગતું કંઈ આવી જાય તો અરસપરસ બંને જણા તેના ખુલાસા આપી લેતા કે કલ્પી લેતા. જેમકે, સાન્કો લેડી ડુલિનિયાને મળ્યો ત્યારે તે પોતાને માટે મોતીની માળા ગૂંથતાં હશે, એવું ડૉન કિવકસોટે પૂછ્યું, ત્યારે પેલો એટલું જ બોલ્યો કે, તે દાણા ઊપણતાં હતાં. કિવકસોટે કહ્યું કે, તે તો ખરી રીતે મોતી હશે, પણ લેડી ડુલિનિયાએ તારાથી છાના રહેવા માટે તારી નજર એવી રીતે બાંધી લીધી હશે : મારે પણ તેમના પ્રત્યેનો પ્રેમ ગુપ્ત રાખવાનો છે, એવું બતાવવાનો જ તેમનો ઈરાદો હશે !
પછી પોતાનો સંદેશો તેણે તેમને કેવી રીતે આપ્યો એવું ડૉન કિવકસોર્ટ સાન્કોને પૂછ્યું, ત્યારે તેણે કબૂલ કરી લીધું કે, નોંધપોથી ભૂલીને જ તે નીકળ્યો હોવાથી તેણે પોતાને બરાબર યાદ રહેલો સંદેશો તેમને કોઈ સાથે લખાવીને આપ્યો હતો.
ડૉન વિકસોર્ટ તેને એ યાદ રહેલો સંદેશો ફરી બોલી બતાવવા કહ્યું, ત્યારે સાન્કોએ કહ્યું કે, એક વખત એ સંદેશો લેડી ડુલિસિનયાને પહોંચી ગયો, એટલે મારા મગજમાંથી છેક જ ભૂંસાઈ ગયો છે! ડૉન કિવકસોટને એ વસ્તુમાં પણ લેડી ડુલસિનિયાનો અદ્ભુત પ્રભાવ જ જણાયો; જેથી સાન્કો જેવો માણસ એમના અરસપરસના પ્રેમની વાત બહાર બોલી ન બેસે!
૧૩૨