________________
જ નહિ; એટલે એ દિવસને અંતે વિજય હાંસલ થયો, ત્યારે તે ત્રણ જગાએ બંદૂકની ગોળીથી વીંધાયો હતો : બે જગાએ છાતીમાં અને ડાબે હાથે એક જગાએ. ડાબા હાથના એ ઘાથી તેનો એ હાથ જીવનભર નકામો થઈ ગયો.
આવા ગંભીર જખમો થયા હોવા છતાં, સર્વોતે બીજી લડાઈઓમાં ઝુકાવ્યું, અને તે લડાઈઓમાં પણ સારાં પરાક્રમ કરી બતાવ્યાં. પરંતુ પછી ડાબો હાથ વધુ ને વધુ નકામો થતાં, તેને લશ્કરી કારકિર્દી છોડી, કલમની કારકિર્દી સ્વીકારવી પડી.
તદનુસાર પાન્ટો આગળના પોતાના કમાન્ડર ઑસ્ટ્રિયાના ડૉન જુઆનની ભલામણ-ચિઠ્ઠી બાદશાહ ફિલિપ-૨ ઉપર લઈને તે સ્પેન તરફ પાછો ફર્યો. તેની સાથે તેનો ભાઈ રોડ્રિગો પણ હતો. સર્વોતને આમેય ઘર અને કુટુંબ પ્રત્યે બહુ પ્રેમ હતો; ખાસ કરીને તેની એક બહેન તેની પરમ મિત્ર જેવી બની રહી હતી. એટલે વતન પાછા ફરવાનું થતાં તે આનંદમાં હતો.
પરંતુ મધદરિયે જ મૂર લોકોના એક જહાજે આ લોકોના જહાજને આંતર્યું અને તેમાંના એકેએક માણસને કેદ પકડી તેઓ અજીરિયા 'લઈ ગયા.
| સર્વાતનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, તથા બાદશાહ ફિલિપ-૨ ઉપરની તેની પાસેથી નીકળેલી ભલામણ-ચિઠ્ઠીઓને કારણે, મૂર લોકોએ માની લીધું કે, એ કોઈ મહત્ત્વનું માણસ છે – એટલે તેને મારી નાંખવાને બદલે જીવતો રાખવાથી વધુ લાભ થશે. તેથી તેઓએ તેને કેદખાનામાં નાંખ્યો.
એ પાંચ વર્ષના કારાવાસ દરમ્યાન સર્વોતે નાસી છૂટવા માટે જે યોજનાઓ ઘડી, કાવતરાંની સામે કાવતરાં રચ્યાં, જે ધીરજ અને સહનશક્તિ બતાવ્યાં, આશાવાદ, હિંમત અને ખુશમિજાજપાછું દાખવ્યાં, તે ઉપરથી મિથુએલની પ્રકૃતિનું અસામાન્યપણું દેખાઈ આવે છે. સામાન્ય રીતે મૂર લોકો જે ખ્રિસ્તી કેદીઓ નાસી છૂટવા પ્રયત્ન કરે, તેમને મારી