________________
કાર્ડિનિયો વાત પૂરી કરે છે
૧૧૫ જઈ તે વાંચ્યો. તે વાંચી રહ્યો એટલે એ પણ એક ખુરશી ઉપર બેસી પડ્યો, અને પોતાના હાથ પોતાના મોં ઉપર મૂંઝવણથી અને અસંતોષથી ફેરવવા લાગ્યો.
“તરત જ ફર્ડિનાન્ડનું ખૂન કરી, તેની દગાબાજી સૌને જાહેર કરવા તત્પર થઈ ગયો; પણ તે ઘડીએ મારામાં હજુ કંઈક અક્કલનો છાંટો રહેલો હતો; એટલે એક વખતની મારી પ્રિયતમાને લગ્નને દિવસે જ વિધવા કરવાનું પાપ કરવાનું માંડી વાળી, મિત્ર તથા પ્રેમિકાની બેવફાઈ ઉપર દાઝે બળતો હું ત્યાંથી ગુપચુપ ચાલી નીકળ્યો. મારા પેલા સંદેશવાહક મિત્રને ત્યાં જઈ, મારું ખચ્ચર લઈ, પાછળ નજર પણ કર્યા વિના હું તે ગામમાંથી ચાલી નીકળ્યો. વિચારમાં ને ચિંતામાં દિવસરાતનું ભાન ભૂલી હું આ પર્વતમાળાના ઘાટ પાસે આવી પહોંચ્યો. પછી અહીંના ભરવાડોને પૂછી વધુમાં વધુ દુર્ગમ ભાગ તરફ હું આવ્યો. છેવટે જ્યારે મારું ખચ્ચર ભૂખ-તરસથાકથી મારા પગ વચ્ચે જ મરી જઈને પડી ગયું, ત્યારે હું પણ ખૂબ જ થાકી ગયો હોવાથી ત્યાં જ બેભાન થઈને ગબડી પડ્યો. ત્યાંના કોઈ ભરવાડોએ મને જોયો અને તેઓએ મને ભાનમાં આણ્યો તથા ખાવાપીવાનું આપ્યું. પણ પછી મારા મગજનું ઠેકાણું રહ્યું નહિ, એટલે ગુસ્સાથી ગાળો ભાંડતો, શાપ વરસાવતો અને કપડાં ફાડતો હું ત્યાંથી ચાલી નીકળ્યો અને રાત પડતાં એક ઝાડની બખોલમાં પેસી ગયો. કેટલાક ભરવાડો દયા લાવી મને ત્યાં અવારનવાર ખાવાપીવાનું પહોંચાડે છે. કોઈ કોઈ વાર હું હોશમાં હોઉં છું, ત્યારે તેઓ સાથે શાંતિથી વાત કરું છું તો કોઈ વાર મગજનું ઠેકાણું ન હોય ત્યારે લૂંટફાટ અને મારપીટ પણ કરું છું. પણ તે ભલા લોકો મારા ઉપર દયા લાવી મને નભાવ્યે જાય છે. મારે આ રીતે જ મારું કંગાળ જીવન પૂરું કરવું છે, તથા મારા મગજમાંથી લ્યુસિન્ડાના સૌંદર્યનો અને બેવફાઈનો તથા ફર્ડિનાન્ડના વિશ્વાસઘાતનો ડાઘ ભૂંસી નાંખવો છે.
માટે, ભલા મિત્રો, મારી આ કહાણી સાંભળી, હવે મને શાંત થવાનું કે પાછા ફરવાનું સમજાવવાનો વિચાર છોડી, પાછા ચાલતા થાઓ. લુસિન્ડા મને ન મળે, ત્યાં સુધી કોઈ વસ્તુ મને શાંતિ આપી શકે