________________
ડૉન કિવકસોટ!
“સજ્જનો, તમે મારા તરફની લાગણીથી મને સમજાવવા આવ્યા છો, પણ તમે એક વાર મારી પૂરી વાત શાંતિથી સાંભળી લેશો, તો તમને ખાતરી થશે કે, મારા જેવો કમનસીબ માણસ બીજા કોઈ નથી; હું મારું ભાગ્ય સુધારવા જે કંઈ પ્રયત્ન કરું છું, તેમાં મને નિષ્ફળતા જ મળે છે; અને હવે તો પરિસ્થિતિ જ એવી બની રહી છે કે, વસ્તીમાં પાછા આવવાનું મારે કાંઈ પ્રયોજન જ રહ્યું નથી.”
૧૧૨
66
પાદરી-બુવાઓ તેને શાંતિથી પોતાની વાત પહેલેથી માંડીને કહેવા જણાવ્યું. તેમને તેને માંએ એ આખી વાત સાંભળવી જ હતી, જેથી તે સાંભળ્યા પછી ઉચિત હોય એવી સલાહ તેને આપી શકાય.
આવો ખાનદાન જુવાનિયો આવી નકામી ધૂનમાં આવી જઈ, પોતાનું જીવન બરબાદ કરે એ તેમને ઠીક લાગતું ન હતું. એટલે ડૉન વિકસોટની પેઠે જ તેને પણ સમજાવી પાછો વાળવાનો પ્રયત્ન કરી જોવાનું તેમને મન થયું.
પેલાને પણ પોતાની વાત સહાનુભૂતિથી સાંભળનાર કોઈ સારું માણસ મળે, એ જોઈતું જ હતું, જેથી પોતાના દિલનો ભાર હલકો થાય, તથા પોતે જે કરી રહ્યો છે તે બરાબર છે કે નહિ એની ખાતરી પણ થાય. જ્યારે જ્યારે તેને ગાંડપણનું વળું દૂર થઈ જતું, ત્યારે ત્યારે આવી રીતે કોઈ ભલા શુભેચ્છકની સલાહ લેવાનું તેને મન થઈ જ આવતું. પણ આ તરફ કેવળ ભરવાડો જેવા જંગલીઓ જરહેતા હોવાથી, તેમને પોતાની બધી વાત કહેવાય તેમ નહોતું; તથા ડૉન વિકસોટ જેવો માણસ એકાદ વખત તેને મળ્યો હતો, પણ પોતાની વાત એ પૂરી સાંભળે તે પહેલાં તો તે મારામારી ઉપર આવી ગયો હતો.
કાર્ડિનિયોએ પહેલેથી માંડીને પોતાની વાત શરૂ કરી. ડૉન કિવકસોટને કહી હતી ત્યાં સુધીની વાત તેણે બરાબર તે જ શબ્દોમાં કહી સંભળાવી. પછી તેણે જે વાત આગળ કહી, તે નીચે પ્રમાણે છે
“લ્યુસિન્ડાએ હવે મને પત્ર લખીને જણાવ્યું કે, તેને પોતાને પણ મારા ઉપર પૂરો પ્રેમ છે, અને તેથી હવે મારે તેના પિતાને મળી તેના હાથની માગણી કરવી જોઈએ.