________________
પ્રેમ-તપશ્ચર્યા તેણે જૂના થઈ ગયેલા મખમલના પાયજામા જેવું કશુંક પહેરેલું હતું, અને એ જ એના શરીર ઉપરનો એકમાત્ર પોશાક હતો. ડૉન કિવકસોટ સમજી ગયા કે, એ માણસ જ પેલા પોર્ટમેન્ટોનો માલિક હોવો જોઈએ. એટલે તેમણે રોઝિનન્ટીને તે તરફ વેગે ઊપડવા જોરથી એડી લગાવી. પણ એ બધા ટેકરાઓ ઉપર રસ્તા વિના ગમે તેમ જવું એ શક્ય નહોતું. એટલે પેલો ફરી પાછો દેખાતો બંધ થઈ ગયો ત્યાં સુધી તેમની વચ્ચેનું અંતર સહેજે ઓછું થઈ શક્યું નહિ.
પણ મુશ્કેલીથી કે આપત્તિથી પાછા પડે તે બીજા! ડૉન કિવકસોટે આ પ્રેમીજનને મળી તેના દુ:ખનો ઉપાય કરવાનું પોતાનું કર્તવ્ય માનીને એ વનવગડામાં એક વરસ ભટકવું પડે તો પણ ભટકવાનો નિરધાર જાહેર કર્યો. સાન્કોને પણ હમણાં પેલા અફસરોના હાથમાં પડાય નહિ તે માટે આ પર્વતોમાં જ છપાઈ રહેવામાં સહીસલામતી લાગતી હતી, એટલે તેણે પણ કશો વાંધો લીધો નહિ; જોકે, તે માણસ પોર્ટમેન્ટોનો માલિક જ નીકળે અને પેલા સોનૈયા પાછા માગે તો શું કરવું, તેનો વિચાર તેણે કરી રાખ્યો.
દૂર દૂર ગયા પછી તેઓ એક ઝરા આગળ આવી પહોંચ્યા. ત્યાં એક ખચ્ચર મરેલવું પડયું હતું. તેનું ખોગીર તથા લગામ વગેરે ત્યાં જ પડયાં હતાં અને તેનું મડદુ પંખીઓએ અને જાનવરોએ અડધું ફોલી ખાધું હતું. તેઓને ખાતરી થઈ ગઈ કે, આ ખરચર તેમ જ પેલા પોર્ટમેન્ટોનો માલિક એક જ વ્યક્તિ હોવી જોઈએ. એટલામાં તેમણે બકરાંના ટોળાને એક ટેકરા ઉપર ફરતું જોયું; તેમની પાછળ તેમનો ભરવાડ પણ હતો.
| ડૉન કિવક લોટે એને બૂમ પાડી નીચે આવવા કહ્યું, પણ પેલાએ કહ્યું, “તમે લોકો આવા વેરાનમાં શા માટે ભટકો છો? અહીં તો બકરાં, વરુ, કે જંગલી પ્રાણીઓ વગર કોઈ આવતું નથી.”
છતાં સાન્કોએ પણ તેને કંઈક કામ છે” એમ કહી નીચે આવવા વિનંતી કરી, એટલે તે નીચે આવ્યો. પેલા મરેલા ખચ્ચર બાબત તેને પૂછતાં તેણે જણાવ્યું કે, “છ મહિનાથી એ મડદુ અહીં પડેલું છે.”