________________
૯૨
ડૉન કિવકસોટ! કારણ સમજવામાં મદદરૂપ હોઈ, ડૉન કિવકસોટે સાન્કોને મોટેથી વાંચી સંભળાવ્યો –
તેં આપેલાં વચનો મિથ્યા નીવડયાં છે, અને હતાશાનો માર્યો હું હવે તારાથી હંમેશને માટે દૂર થાઉં છું. થોડા જ વખતમાં તને મારા મૃત્યુના સમાચાર મળશે. હે બેવફા સુંદરી, તું મને ભૂલી ગઈ છે, અને મારા કરતાં વધુ તવંગર યુવાનને તે સ્વીકાર્યો છે, પણ તજેલા આ ગુલામ કરતાં તે શું વધુ લાયકાતવાળો છે ખરો? ગુણની યોગ્ય કિંમત સ્ત્રીઓ આંકી શકતી હોત, તો તો મારે કંઈ ફરિયાદ કરવાપણું ન રહેત. પરંતુ તારી સુંદરતાએ મારામાં જે ખ્યાલ ઊભો કર્યો હતો, તે તારાં કૃત્યોએ ખોટો પાડ્યો છે. તારી સુંદરતાએ તો તને સ્વર્ગલોકની માની લેવા મને પ્રેર્યો હતો; પણ તારાં કૃત્યોએ તને મર્યલોકની એક સામાન્ય સ્ત્રી જ ઠરાવી છે. મારી શાંતિની હરનાર, તું ભલે સુખશાંતિ અને આનંદમાં રહે, ભગવાન તારા પતિની દુષ્ટતા તારાથી અજ્ઞાત જ રાખે, જેથી તને તારા વફાદાર પ્રેમીને તજવા બદલ કદી પસ્તાવાવારો ન આવે. તું જો સુખશાંતિમાં છેવટ સુધી રહીશ, તો તારા પતિ ઉપર મારે મારા વેરનો બદલો લઈ તને દુ:ખી કરવી નથી.”
બંને જણ સમજી ગયા કે, પ્રેમમાં નિષ્ફળ નીવડેલા કોઈ પ્રેમીની આ બધી મિલકત છે. સાન્કોને તો જે સોનામહોરો મળી હતી તેથી તેને પોતાના ગધેડાની અને અત્યાર સુધી થયેલી મારપીટની કે રખડપટ્ટીની કિંમત મળી ગઈ લાગતી હતી. પરંતુ ડૉન કિવકસોટે હવે આ પ્રેમીનું આગળ શું થયું તે શોધવાનો અને તેની આ ચોપડી તથા તેના સોનૈયા તેને પાછા આપવાનો નિશ્ચય કર્યો. સાન્કોને એ યોજના મંજૂર ન હતી; છતાં તેને મનમાં ખાતરી હતી કે, એ બધાનો માલિક જીવતો હોય ત્યાં સુધી પોતાની કવિતાઓ કે સોનૈયાઓથી છૂટો પડે જ નહિ, એટલે તે મરી જ ગયો હોવો જોઈએ. તેથી તે થોડો દૂર રહી પાછળ પાછળ ચાલવા લાગ્યો; જેથી પેલો મળી આવે તો પણ સોનૈયા તરત આસપાસ કયાંક છુપાવી લેવાય!
એટલામાં તેમણે એક ટેકરા ઉપર અર્ધન ન હાલતમાં, લાંબી દાઢીવાળો, વાંદરા જેવી ચપળતાથી ચાલતો અને ટેકતો એક માણસ જયો.