________________
૮૧
પ્રેમ-તપશ્ચર્યા ડૉન કિવક્સોટે સોનૈયા સાન્કોને આપી દીધા અને પેલી નેંધપોથી પોતાને આપવા કહ્યું. સાન્કોએ ખુશી થઈને એ ડૉન કિવકસોટને આપી દીધી અને બીજું બધું પોતાના ઝોયણામાં ખોસી દીધું.
ડૉન કિવકસોટે એ બધો સામાન કોનો છે એ જાણવા મળે તે માટે એ નોંધપોથી વાંચવા માંડી. તેમાં સુંદર અક્ષરે કેટલાંક પાનાં ભરીને કવિતાઓ તથા ગદ્ય ફકરાઓ લખેલા હતા. પહેલે જ પાને નીચેની કવિતા હતી –
निश्चय
(ગીત) “પ્રેમ-દેવતા એવો કઠોર દેવ છે, જેને આપણા દુ:ખની પરવા નથી; અરે, ક્રૂરતા એ જ તેનો એકમાત્ર ગુણ છે! નહિ તો તેની સામે ફરિયાદ કરવાનું મને કારણ મળ્યું ન હોત! પણ જો પ્રેમ એ દેવતા હોય, તો તેનામાં બીજાનાં અંતરનાં દરદ જાણવાની શક્તિ હોવી જ જોઈએ! તો પછી, એને જાણી જોઈને બીજાને દુ:ખી કરનાર અત્યાચારી
કહી ન શકાય. તો પછી મારા અંતરને સળગાવી મૂકનાર આ બધું દુ:ખદરદ
ક્યાંથી આવે છે? તો શું મારાં આ બધાં દુ:ખદરદ ‘તેની પાસેથી આવ્યાં છે? ના, ના, એવી સુંદર કોમળ સ્ત્રી, આવાં તીવ્ર દુ:ખદરદનું મૂળ હોઈ શકે નહિ. તેમ જ પ્રેમ-દેવતા પણ આવાં દુ:ખદરદનું કારણ હોઈ શકે નહિ. તો પછી, જેના કારણની ખબર પડતી નથી, એવા આ દુ:ખનો ઉપાય મોત જ છે શું?”
પછી ડૉન કિવકસોટે આગળ પાન ફેરવ્યાં, તો તેમાં આવા જ અર્થનું ઘણું ઘણું ગદ્ય લખાણ હતું. તે બધામાં અનેક પત્રો ભેગો એક પત્રનો આ ખરડો પણ મળી આવ્યો છે એ લખનારના દરદનું