________________
બંદીવાનોની મુક્તિ
૮૫ પેલા ઘોડેસવારોમાંના એક જવાબ આપ્યો, “આ લોકો ભયંકર ગુનેગાર છે, અને તેમને સજા થઈ હોવાથી રાજાજીનાં વહાણો ઉપર સેવા બજાવવા લઈ જવામાં આવે છે. એથી વધારે પૂછપરછ કરવાની તમારે હોય નહિ, અને તમને જવાબ પણ આપવામાં આવશે નહીં.”
“પરંતુ આવું કમનસીબ તેમના ઉપર શા કારણે આવી પડ્યું એ જાણવાની મને ઇચ્છા છે; અને જો એ ઇચ્છા પૂરી કરવામાં આવશે, તો હું તેને મારા ઉપર થયેલી મોટી મહેરબાની ગણીશ.”
પેલા ઘોડેસવારે કહ્યું, “એ બધાનાં કાગળિયાં મારી પાસે ખીસામાં છે; પરંતુ રસ્તા ઉપર એ કાગળો કાઢી શકાય નહિ, એટલે તમે સાથે ચાલતા ચાલતા એ સૌને ટૂંકમાં તેમનો ગુનો પૂછી શકો છો. એ બધા એવા પ્રમાણિક માણસો છે કે, કશું છુપાવ્યા વિના તથા સહેજ પણ શરમાયા વિના, પોતાને શા કારણે સજા થઈ તે બરાબર કહી બતાવશે !”
ડૉન કિવકસોટે હવે એક પછી એક જણને પૂછવા માંડ્યું. પહેલાએ કહ્યું, “પ્રેમમાં પડવાને કારણે મને સજા થઈ છે.”
પ્રેમમાં પડવાને કારણે આવી સજા થતી હોય, તો તો મારા જેવાઓને સૌથી પહેલાં સજા થવી જોઈએ,” ડૉન કિવક્સોટે નવાઈ પામી કહ્યું; “કારણકે, નાઈટ જેવો પ્રેમ-શૂરો બીજો કોઈ હોય નહીં!”
પેલા ઘોડેસવારે હસતાં હસતાં ખુલાસો કર્યો કે, “કોઈને ત્યાંથી ચોરી આણેલી કપડાંની ગાંસડી ઉપર તેને એટલો બધો પ્રેમ થઈ ગયો કે, તે પકડાયો ત્યાં સુધી તેણે તેને હાથમાંથી છોડી નહિ! એટલે એ ગાંસડી ઉપર હાર્દિક પ્રેમ રાખવા બદલ તેને આ સજા થઈ છે, એમ તેનું કહેવું છે!”
બીજો કેદી એટલો બધો ઢીલો તથા હતાશ થઈ ગયો હતો કે, તેણે ડૉન કિવકોટના પ્રશ્નનો કશો જવાબ જ આપ્યો નહિ. એટલે પહેલા કેદીએ જ પોતાની અવળવાણીમાં જણાવ્યું કે, “વધારે પડતું ગાવા માટે તેને આ સજા થઈ છે.”
ગાવા માટે આવી સજા? તો તો પ્રેમ-ગીતો આખો વખત લલકાર્યા કરનાર મારા જેવાઓને સૌથી પહેલા પકડવા જોઈએ,” ડૉન વિકસોટે જણાવ્યું.