SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ બંદીવાની મુક્તિ ગયા પ્રકરણને અંતે, ઉતાવળે અમે જણાવી ગયા તેમ, બંને જણ વાતો કરતાં કરતાં આગળ જતા હતા, તેવામાં તેમની નજરે એક વિચિત્ર દૃશ્ય પડ્યું. ગળે એક લાંબી સાંકળ બાંધેલા અને કોઈ કોઈને હાથે પગે બીજાં બંધન નાખેલા બાર માણસો ધીમે ધીમે રસ્તે ચાલતા આવતા હતા. બંદૂકધારી બે ઘોડેસવારો, તથા તરવાર-કટારધારી બે પગપાળા રક્ષકો તેમની સાથે હતા. સાન્કો તેમને જોઈ બોલી ઊઠ્યો, “ઓ માલિક, આ બિચારાઓને સાંકળે બાંધી રાજાજીનાં વહાણ ઉપર મજૂરી કરવા લઈ જાય છે!” “શું રાજા પણ કોઈને બળાત્કારે આમ કામ કરવા ધકેલી દઈ શકે?” ડૉન કિવસોટે પૂછયું. “માલિક, મારા કહેવાનો અર્થ એટલો જ હતો કે, આ બદમાશ ગુનેગારોને કાયદા પ્રમાણે સજા કરીને રાજાજીનાં વહાણો ઉપર હલેસાં મારવા લઈ જાય છે.” ભલે તેમ હોય, છતાં તેઓ પોતાની મરજીથી ત્યાં ન જતા હોય, તો તેમને પરાણે લઈ જવામાં આવે છે, એટલું તો ખરું ને? તો પછી એ બધાનો એ સંકટમાંથી – એ દુ:ખમાંથી ઉદ્ધાર કરવો એ મારો ધર્મ બની રહે છે. કારણ કે, નાઈટ જ્યાં જ્યાં વિચરે, ત્યાં સામાન્ય માણસ ઉપર પણ કશો જોરજુલમ થતો હોય – ભલે પછી તે રાજાના હુકમથી થતો હોય – તો તેને તેમાંથી છોડાવવો એ નાઈટનું કર્તવ્ય બની જાય છે.” પણ એટલામાં તો પેલા લોકો છેક નજીક આવી પહોંચ્યા, એટલે ડૉન કિવકસોટે વિવેકભર્યા શબ્દોમાં પેલા ઘોડેસવારોને પૂછયું, “આ લોકોને આમ ક્યાં લઈ જવામાં આવે છે?” ८४
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy