________________
મૅબ્દિનોનો સુવર્ણ-ટોપ “માલિક, એ દવા તો નાઈટોને જ કારગત નીવડે છે, એટલે હવે મારે એ ઔષધ જીવતાં કદી પીવું ન પડે એવી જ ભગવાનને મારી પ્રાર્થના છે, ઉપરાંત મારપીટ તથા વાગવાના મોકા આવવા જ ન દેવા એ જ આ બધાનો સહેલો ઉપાય છે. હવે ફરીથી કોઈ બદમાશો મને શેતરંજીમાં ઉછાળે એવું મારે થવા દેવું જ નથી.”
“અરે ભાઈ, તું એવી બધી ભૂતકાળની વાતો અને ભૂતકાળનાં વેર સાચા ખ્રિસ્તીની પેઠે ઝટ ભૂલી જતાં શીખ. એ શેતરંજીવાળો બનાવ તો પેલા તોફાની લોકોનો એક ખેલ જ હતો; તેને મન ઉપર બહુ લેવાની જરૂર નથી. મેં પણ એને ખેલ ગણી કાઢયો ન હોત, તો ક્યારના પાછા જઈને એનું વેર વાળ્યું હોત.”
ભલે, તો હું પણ એ બનાવને ખેલ જ ગણી કાઢીશ; કારણ કે, તેનું વેર લેવાનું તો તમને પણ મંજૂર નથી. પણ હવે આપણે આ ગધેડાનું શું કરવું છે?”
“વિયી નીવડેલા નાઈટોનો એવો શિરસ્તો નથી કે, હારેલા નાઈટની મિલકતનો કબજો લેવો. પોતાનો ઘોડો યુદ્ધમાં માર્યો ગયો હોય કે ઘાયલ થયો હોય તો તો તેનો ઘોડો કામમાં લઈ શકાય. પણ મારો ઘોડો તો સાજો છે, એટલે એ ઘોડાને કેવળ યુદ્ધમાં જીત્યો હોવાને કારણે ચાલતો પાછળ લઈ લેવો તે યોગ્ય ન કહેવાય.”
પરંતુ નાઈટ લોકો ભલે દુમનનો ઘોડો સાથે લઈ ન લે; પણ તેમના સ્કવાયરો દુશ્મનના સારા ગધેડાને પોતાના ખરાબ ગધેડાને બદલે બદલી શકે કે નહિ, તે મને કહો માલિક. કંઈ નહિ તોય, મારા ગધેડાનું ખોગીર જૂનું થઈ ગયું છે, તો આ દુશ્મનના ગધેડાનું નવું ખોગીર બદલી લઉં કે નહિ?”
“પ્રાચીન ગ્રંથો દુશમનના ગધેડાનું (ભલે તું આ ઘોડાને ગધેડું જ કહે) ખોગીર તેમના સ્કવાયરો બદલી લઈ શકે કે નહિ, તે બાબતમાં ચૂપ હોવાથી, હું તને ખોગીર બદલવાની પરવાનગી આપું છું.”
સાન્કોએ વધુ રાહ જોયા વિના તરત પોતાના ગધેડાનું જૂનું ખોગીર કાઢી નાખ્યું અને પેલા હજામના ગધેડાનું નવું ખોગીર તેના ઉપર
ડૉ.-૬