________________
ડૉન કિવકસોટ!
જઈને મળવું અને તેમના વફાદાર સેવકના ઉપર શું શું વીત્યું છે, તથા તેમનું નામ દિગંતમાં મશહૂર કરવા તેમની મેં શી શી સેવાઓ બજાવી છે, તેનો સંપૂર્ણ અહેવાલ આપવો.”
સાન્કો આવા આખરી વિદાયના શબ્દો સાંભળી રડી પડ્યો અને કરગરીને કહેવા લાગ્યો, “અત્યારે અંધારું છે, અને કોઈ પણને જોવું નથી; ત્યાં સુધીમાં આપણે અહીંથી પાછા ચાલ્યા જઈએ, તો તેમાં કશી નામોશી નથી. હાથે કરીને અંધારામાં કૂદી પડવાનું આપણે કોઈને લખી આપ્યું નથી! ઉપરાંત આવા અંધારામાં મને એકલાને છોડીને તમે ચાલ્યા જશો, તોપણ હું ફફડીને જ મરી જઈશ, અને મારાં બૈરીછોકરાં રવડી
મરશે.”
| ડૉન કિવકસોટે જવાબ આપ્યો, “મારે વિષે કદી એમ નહીં કહે-- વાવું જોઈએ કે, હું કાકલૂદીઓથી કે આંસુથી પલળીને કે ભય અથવા ડરથી કંપીને કોઈ પરાક્રમમાંથી પાછો હટી ગયો. ઉપરાંત હું તો અહીં, જ છપાઈ રહેજે; અને ધાર કે હું જીવતો પાછો ન આવું, તો પણ મારા વિલમાં મેં તારે માટે ભરણપોષણની પૂરતી જોગવાઈ કરી રાખી
છે.”
સાન્કો સમજી ગયો કે, તેના માલિક માત્ર સમજાવવાથી માને તેવા નથી; ઊલટા, જેમ જેમ ના કહીશું તેમ તેમ તે વધુ જુસ્સામાં આવશે. એટલે તેણે યુક્તિ કરીને રોઝિનેન્ટીના પાછલા બે પગ પોતાના ગધેડાના અછોડા સાથે બાંધી દીધા. એટલે જ્યારે ડૉન કિવકસોટે રોઝિનેન્ટીને આગળ જવા એડી મારી, ત્યારે તે ડોક આગળથી ગમે તેટલો ઊંચોનીચો થયો પણ તેની જગાએથી એક ઈંચ પણ આગળ ખસ્યો નહિ. ડૉન કિવકસોટે ઘણા ધમપછાડા માર્યા, પણ કાંઈ વળ્યું નહિ. છેવટે સાન્કો બોલી ઊઠયો, “જુઓ ભગવાન જ એવું ઇચ્છે છે કે, તમે
આ અંધારામાં આગળ જાઓ નહીં; એટલે તે રોગનેન્ટી જેવા ડાહ્યાકહ્યાગરા પ્રાણીને પણ આગળ ચસકવા દેતા નથી.”
છેવટે થાકીને ડૉન કિવકસોટે અજવાળું થાય ત્યાં સુધી ત્યાં થોભવાનું કબૂલ કર્યું. પણ થોડી વારમાં ભયના માર્યા સાન્કોને ઝાડો થવા લાગ્યો. પણ ડૉન કિવકસોટને છોડીને ખસવાની જરાય હિમત ન હોવાથી, તેણે ત્યાં ને ત્યાં