________________
૭૪
ડૉન કિવકસોટ!
બાંધી લેવાના કામે લાગ્યો હતો. તે હવે બધું પરવારી, જભાની ગાંઠડી વાળીને પોતાના ગધેડા ઉપર લાદી, ત્યાં આવી પહોંચ્યો.
પેલા પાદરીને તેના ખચ્ચર ઉપર બેસાડી, તેના હાથમાં તેની મશાલ સોંપી તેને વિદાય કરતાં સાન્કોએ કહ્યું, “તમો લોકોને વિખ્યાત ડૉન કિવકસોટ દ લા-માંશા — ‘ દયામણા-મોંવાળા ’ સાથે પનારાં પડયાં હતાં, એટલું યાદ રાખજો!”
જ્યારે પેલો પંડિત વિદાય થયો, ત્યારે ડૉન વિકસોટે સાન્કોને પૂછ્યું, “ભાઈ, તેં મને ‘દયામણા મોંવાળા' તરીકે કેમ ઓળખાવ્યો?”
“માલિક, તમે એ પાદરા સાથે વાતો કરતા હતા ત્યારે તેના માં કરતાં તમારું જ માં મને એટલું બધું દયામણું લાગ્યું કે, મારા મોંમાંથી એ શબ્દ નીકળી પડયો. કદાચ તમે એ યુદ્ધમાં ખૂબ થાકી ગયા હશો, અથવા તમારા જડબામાંથી ઘણા દાંત તૂટી ગયા છે, તેથી તમારું માં મને એવું દેખાયું હશે.”
66
ના, ના, ભાઈ; મારી જીવનકથા લખવાનું જે ઋષિને સોંપાયું હશે, તે ઋષિને મારા એક ઉપનામની જરૂર હવે લાગી હશે; કારણ કે, જૂના જમાનાના ઘણા મશહૂર નાઈટોને ‘સળગતી તરવારવાળો’, ‘મૃત્યુઘંટવાળો’– એવાં એવાં ઉપનામો લાગુ પાડવામાં આવતાં. મારું પણ એવું કોઈ ‘-વાળો’ ઉપનામ હોવું જોઈએ, એમ આવશ્યક લાગવાથી, એ ઋષિએ જ તારા માંએ મારું એ નામ કઢાવડાવ્યું છે! એટલે આજથી હું એ ઉપનામ જ ધારણ કરું છું!”
આટલું કહી ડૉન કિવસોટ પેલી પાલખી જોવા માટે જવાની તૈયારી કરતા હતા, તેવામાં સાન્કોએ તેમને આજીજી કરીને કહ્યું કે, “પેલાઓ એક જણ સામે લડતાં આમ ભાગી ગયા, તેની શરમના માર્યા ભેગા થઈ અહીં પાછા આવશે; પણ આપણે હવે કયાં નવરા છીએ? આપણે હજુ ખાવું પીવું છે—એટલે ભલે એ લોકો એમની મેળે આવી એમનું મડદું ઉપાડી જાય. આપણે તો પેલી ટેકરી તરફ જઈ, હવે નિરાંતે થોડું ખાઈએપીએ તો બસ. ‘મડદાં થાય કબર ભેળાં, અને જીવતાં થાય ભોજન ભેળાં ! ’એમ કહી તેણે ડૉન વિકસોટના જવાબની રાહ જોયા વિના સીધી ગધેડાને એડી જ મારી.