________________
૭૩
બે અદ્ભુત પરાક્રમો! “પણ મહાશય, તમે મારો પગ સીધો સરખો હતો તેને ઊલટો બગાડયો, પછી તમે ‘બિગડી સાધારનાર’ અને પીડિતના ઉદ્ધારક કેમ કરીને કહેવાઓ? મને નથી લાગતું કે હવે ભગવાન પણ મારા વાંકા થયેલા આ પગને સીધો કરી શકે. પરાક્રમોની શોધમાં પૃથ્વી ઉપર વિચરતા તમે, એક મહાપંડિતની નાહક હત્યા કરી છે, મહેરબાન –”
પણ ત્યારે તું આ બધાઓની સાથે આવા કામમાં શું કરવા ભળ્યો હતો? આવા બિહામણા ઝભ્ભા ઓઢી, આવાં મડદાં ઉપાડી જવાં અને દોરી જવાં, એ શું તાજું મહા-પંડિતનું કામ કહેવાય?”
અરે ભગવાન, મીઠા મેવા મળે એવી સેવા કરવાની તક હું શા માટે જવા દઉં? પણ હવે તો મીઠા મેવાને બદલે બીજું કાંઈ જ મને મળ્યું છે, એટલે મારું કમનસીબ જ મને સામું મળ્યું છે, એમ મારે માનવું રહ્યું. પણ ઠીક, ઠીક, મહાશય હવે મને મારા ખચ્ચર ઉપર બેસાડી દો, તો તમારું કલ્યાણ થશે. કારણ કે, મારે હવે ઝટપટ પેલા બધા મારા સાથીઓ ભેળા થઈ જવું જોઈએ-નહિ તો આ અંધારી રાતે એકલો આ વનવગડામાં હું કેમ કરીને જીવતો રહીશ?”* - ડૉન કિવક્સોટને હવે સંતોષ થયો કે, પોતે તો આવા બિહામણા વરવા વેશમાં નીકળેલા લોકોને નરકના યમદૂતો માનીને જ પડકાર્યા હતા - અને તેમ કરવામાં પોતાનો ઇરાદો કેવળ શુભ હતો. એટલે તેમણે ઝટપટ સાજોને બૂમ પાડીને બોલાવ્યો અને આ પંડિતને તેના ખચ્ચર ઉપર બેસાડવામાં મદદ કરવા ફરમાવ્યું.
આ દરમ્યાન, સાન્કો પેલા પાદરીઓ મુસાફરી દરમ્યાન ખાવાનું ભાથું વગેરે લાદેલું એક ખચ્ચર પાછળ પડતું મૂકી નાઠા હતા, તેના ઉપરથી પોતાનો જન્મો જમીન ઉપર પાથરી ઘણી ઘણી ચીજો તેમાં
કે “આ પંડિતને એ આવે જોખમને વખતે પણ લાંબા લાંબાં વાકયો મૂકીને લેખકે તે જમાનાના (અને હાલના પણ નહીં?!) નાટયલેખકોની ઠેકડી કરી છે – જેઓ દુ:ખ અને ત્રાસને પ્રસંગે પણ પોતાનાં પાત્રોને મોંએ કેવળ ભભકભર્યા અને ગીતોભર્યા શબ્દો ઠાંસતા. – એ .