________________
ડૉન કિવકસોટ! નિ:શસ્ત્ર આ માણસો ઉપર પોતાનાં હથિયાર જેમ ફાવે તેમ વીંઝવાની અને વાપરવાની પૂરી તક મળી.
સાન્કોની છાતી પોતાના માલિકનું આ પરાક્રમ – આ હિંમત જોઈ ગર્વથી ફુલાઈને ફાટી જવા લાગી. વીસ-પચીસ ભયંકર ભૂતો સામે આમ એકલે હાથે – સામે મોંએ જ લડવું અને તે બધાને ભગાડી મૂકવાં, એ કંઈ જેવી તેવી બહાદુરી કે તાકાતનું કામ ન કહેવાય!
ડૉન કિવસોટ હવે ખચ્ચર ઉપરથી ગબડીને નીચે પડેલા માણસ પાસે ધસી ગયા. તેના હાથની મશાલ પાસે જ સળગતી પડેલી હતી. એક હાથમાં તે ઊંચકી લઈ, બીજા હાથે પોતાની તરવાર તેના ગળા ઉપર મૂકી ડૉન કિવકસોટે હવે તેને ઝટપટ તાબે થઈ જવા ફરમાવ્યું.
મહાશય, હું તો કયારનો તમારે શરણે જ આવી ગયેલો છું; કારણ કે, મારો પગ ભાગી ગયો હોવાથી મારાથી અહીંથી એક ડગલું પણ આગળ ભરાય તેમ નથી. ઉપરાંત, મને જો તમે મારી નાખશો, અને તમે સાચા ખ્રિસ્તી હશો, તો તમને તેથી મહા-પાપ લાગશે; કારણ કે, હું ઍલોન્ઝો લૉપેઝ નામનો પંડિત છું, અને હમણાં જ દૂર દૂર શાસ્ત્રાભ્યાસ તથા વિદ્યાભ્યાસ કરીને પાછો આવેલો છું. હું તથા બીજા અગિયાર પાદરીઓ સેગોવિયાના એક સદગૃહસ્થ બેસા બુકામે ગુજરી જવાથી, –ન્ત મરણમ્ – તેમનું શબ તેમના વતનમાં દાટવા લઈ જતા હતા. એ શબ હજુ પેલી પાલખીમાં જ ચિરનિદ્રામાં પોઢે છે.”
પણ એ સદ્ગૃહસ્થને – નાઈટને કોણે હણ્યા તે તો ઝટ ભસી મર – માળા જડબાં પંડિત.”
ભગવાને – પરમાત્માએ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, વિભુ પરમેશ્વરે હણ્યા; બીજા કોઈએ નહિ. દરેક જણને કાળના ગ્રાસ થવાનું સરજાયેલું જ છે– એમાંથી કોઈનો છુટકારો નથી – ભગવાને તેમના મોતને પ્લેગ રૂપે પાઠવ્યું અને તે જલદી આ ફાની દુનિયા તજી ગયા.”
“તો તો પછી કુદરતી રીતે મૃત્યુ પામેલા એ નાઈટના મૃત્યુનું વેર લેવાનું મારે માથે રહેતું નથી – કારણ કે, હે પંડિત, તે જાણી લે કે, હું બિગડી સુધારનારો, દુ:ખિયાને ઉદ્ધારનારો અને પાપીઓને હણનારો મહા-નાઈટ ડૉન કિવક્સોટ દ લા-માંશા છું.”