________________
બે અદ્ભુત પરાક્રમો !
૬૫
ડૉન વિકસોટે ભારપૂર્વક જણાવ્યું કે, “મારે હવે પેલી મંત્રેલી તરવાર મેળવવાનો સમય પાકી ગયો છે, જેના વડે માયામંત્રથી ઊભી કરેલી આડશો તરત વીંધાઈ જાય, અને જેને આગળ ધરતાં જ બધાં જાદુમંતર અલોપ થઈ જાય. જો મારી પાસે એ તરવાર અત્યારે હોત, તો તને હું મારી વાતની પાકી ખાતરી કરાવી આપત.
..
સાન્કોએ કહ્યુ, “ પણ માલિક, તમારી દવાની પેઠે જ તમારી તે તરવાર પણ તમને નાઈટ લોકોને જ કામમાં આવી શકશે; મારે નસીબે તો માર જ ખાવાનો રહેશે. અને જો તમે એ તરવારની વિદ્યા અગાઉથી જાણતા હતા, તો એવી તરવાર લીધા વિના ઘેરથી નીકળ્યા જ શા માટે?” “ભાઈ, અનેક વસ્તુઓની જેમ જેમ જરૂર પડતી જાય છે, તેમ તેમ મને તે યાદ આવતી જાય છે. મે એટલું બધું વાંચ્યું છે કે, વાંચ્યા પ્રમાણેનું બધું તૈયાર કરીને જ નીકળવાનું રાખું, તો તો મારાથી કેટલે વરસેય નીકળાય નહિ. પણ હું મારાં બાવડાંમાં શ્રાદ્ધા રાખ; દર વખતે કંઈ તને આવાં દુ:ખ જ વેઠવાનાં નહિ મળે.
""
એટલામાં જ દૂરથી ડૉન કિવસોટે રસ્તા ઉપર ધૂળનો ગોટો ચડતો જોયો. તે તરત બોલી ઊઠયા, “જો હવે પરાક્રમોનો યશસ્વી પ્રસંગ અત્યારે જ આવી પહોંચ્યો છે; આજે તને મારું એવું પરાક્રમ જોવા મળશે, જેને દિવસો સુધી ભવિષ્યની પેઢીઓ ગીતો રૂપે અને આખ્યાનો રૂપે યાદ કર્યા કરશે: કારણ કે, આ તો મોટી મોટી પ્રજાઓનું બનેલું લશ્કર જ કૂચ કરતું આવે છે.
""
સાન્કોએ જવાબ વાળ્યો, “જો એમ જ હોય, તો તો બે લશ્કરો બે બાજુએથી આવે છે. કારણ કે, જુઓ ધૂળનો તેવો જ ગોટો પેલી બાજુથી પણ આવતો દેખાય છે.
,,
(6
ડૉન કિવકસોટે થોડો વિચાર કરીને તરત જણાવ્યું, વાહે, વાહ, આ સામેથી આવે છે તે લશ્કર તો ટૅપ્રોબન ટાપુના શહેનશાહ અલીફૅફેરોંનું છે; અને પાછળથી આવે છે તે ગૅરેમેંશિયનોના રાજા પૅન્ટેપોલિનનું લશ્કર છે. તે બે રાજાઓ વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળવાનું છે.” “તે બે રાજાઓ વચ્ચે શા કારણે અણબનાવ છે, વારુ?” સાન્કોએ ડૉન કિવકસોટની અદ્ભુત જાણકારીથી ચકિત થઈને પૂછ્યું.