________________
૮૯
કૅડરે ભૂતકાળ ઉખેળે છે “એમ? તો પછી તું મને બધી વાત સીધી જ કહી દે. જેમ ડાન્ટના મૃત્યુ પામેલા બાપની રકમ મારે બાકી રહેલા ચારને જ વહેંચી દેવાની છે, તેમ બાકીના ચારમાંથી જેઓ ડાટે અને તેના પિતાની કારમાં મૃત્યુ માટે જવાબદાર હશે, તેમની રકમ પણ તેમને આપવા હ બંધાયેલો નથી. પણ મને તારે ખાતરી કરાવી આપવી જોઈશે.”
ડરોએ પછી લારિઝર્વ હોટેલમાં બેઠાં બેઠાં ડેગ્લસેં અને ફર્નાન્ડે કેવું કાવતરું રહ્યું હતું, તથા પોતે તે વખતે દારૂ પીને ટે થઈ ગયો હોવા છતાં અમુક અમુક વખતે કેવો જાગી ગયો હતો, તે આખી વાત વિગતવાર કહી સંભળાવી.
થોડી વાર વિચારમાં પડી ગયા હોય તેમ ચુપ રહ્યા પછી બાવાજીએ અચાનક તેને પૂછયું, “તેં આખી વાતમાં શ્રી. મૉરેલનું નામ બેત્રણ વખત દીધું; તે તે કોણ છે વારુ?’
“કાગોન' જહાજને માલિક અને ડાન્ટનો શેઠ.” અને આ આખા નાટકમાં તેમણે શો ભાગ ભજવ્યો છે?'
એક પ્રમાણિક, હિંમતવાન અને સાચા સજજનને. રાજદરબારમાં પોતાને માથે ડાન્ટેના મળતિયા હોવાને વહેમ આવે તેટલી હદ સુધી જઈને તેમણે ડાન્ટના છુટકારા માટે દોડાદોડ કરી હતી. અને નેપોલિયન બાદશાહ સો દિવસ પાછા ફર્યા ત્યારે તો તેમણે જોર કરીને દ” વિલેફૉર્ટ ઉપર દબાણ કર્યું હતું. તેથી રાજા લૂઈ ફરી ગાદીએ આવ્યો ત્યારે શ્રી. મૉરેલને નેપોલિયન પક્ષી ગણીને તેમની સારી પેઠે પજવણી થઈ હતી. ડાન્ટેના બાપને પોતાને ત્યાં લઈ જવા પણ તે અનેક વાર આગ્રહ કરી ગયા હતા; અને ડોસાના મૃત્યુ પહેલાં પોતાની પૈસાની ભરેલી રાતા રંગની થેલી તેની સારવાર માટે ચૂલા ઉપરના તાકામાં મૂકી ગયા હતા. એ પૈસામાંથી જ ડાન્ટેના બાપનું બધું દેવું ચૂકવાયું અને તેની દફનક્રિયા પણ સારી રીતે કરવામાં આવી. એ ખાલી થેલી હજુ મેં મારી પાસે સંઘરી રાખી છે!”