________________
માણસ ધારે શું, ઈશ્વર કરે શું ! ૫૯ ભરતે બોલ્યો, “પિતાજી, મારે માટે તમે આવું જ ધાર્યું? તમને લીધા વિના હું એકલો નાસી જાઉં એવો આપ-મતલબી છું!”
બાવાજીએ ધીરેથી કહ્યું, “બેટા, મારી એ માન્યતા ખોટી પડી તેથી મને આનંદ જ થયા છે. પરંતુ મને સાથે લઈને આ કેદખાનામાંથી છૂટવાની તારી આશા પણ હવે વ્યર્થ છે. પહેલી વાર જ્યારે મને આ રોગનો હુમલો આવ્યો, ત્યારે અર્ધા કલાકમાં જ હું પાછો મારી મેળે ઊભે થયો હતો અને મને તીવ્ર ભૂખની લાગણી થઈ આવી હતી. પરંતુ આ વખતે તે મારો જમણો હાથ તેમ જ પગ બંને નકામા થઈ ગયા લાગે છે. મારા મગજમાંની થોડીક શિરાઓ પણ ફૂટી ગઈ છે. હવે પછીને હુમલે તો કદાચ હું મરણ જ પામીશ અથવા મને હંમેશને માટે પક્ષાઘાત થઈ જશે.'
“એવું ન બોલશો પિતાજી! ત્રીજા હુમલા પહેલાં તે આપણે બહાર નીકળી ગયા હોઈશું અને મળી શકે તેવી ઉત્તમ ઔષધિઓથી તમારી સારવાર થવા લાગી હશે.”
“બેટા, તને હું છેતરીને અંધારામાં રાખવા માગતા નથી. આ હુમલા પછી હું કદી કેદખાનામાંથી છૂટવાની આશા રાખી શકું તેમ નથી. કારણ કે, પગે જે દોડી શકે, તે જ જેલમાંથી ભાગી શકે, અને બંને હાથ વાપરી શકે, તે જ લાંબો દરિયો તરી શકે. આ રોગ અમારા કુટુંબને વંશપરંપરાને રોગ છે. અને જે વૈધે મને આ નુસખે તૈયાર કરી આપ્યો હતો, તેણે મારે માટે આવો જ અંત ભાખ્યો છે. એટલે હું જ તને રાજીખુશીથી કહું છું કે, મારી ચિંતા મૂકી તું એ ભાગી જા. તું જુવાન છે, અને તારે આ કેદખાનામાં સબડયા કરવાની જરૂર નથી.’
“તે પિતાજી, હવે તમે પણ મારી પ્રતિજ્ઞા સાંભળો. તમારા ચરણ ઉપર હાથ મૂકીને હું કહું છું કે, જ્યાં સુધી તમે જીવતા હશો, ત્યાં સુધી