________________
૧૪
માણસ ધારે શું, ઈશ્વર કરે શું !
જેલર આવી ગયા બાદ ફેરિયા બાવા ડાન્ટની ખોલીએ આવ્યા. તેની વિચિત્ર સ્થિતિ જોઈને બાવાએ કહ્યું, મેં તને તારા દુશ્મનને શોધી આપવામાં મદદ કરી એ ખોટું કર્યું, એમ હવે મને લાગે છે. તારું આખું મન ભયંકર વેરના વિચારોથી જ ભરાઈ ગયું છે.’
ડાન્ટેએ આજીજી કરીને કહ્યું, “પિતાજી, મને મારા આ ભયંકર વિચારોની ભૂતાવળમાંથી છોડાવે. નહિ તો હું ગાંડો થઈ જઈશ, એમ મને લાગે છે.”
“બેટા, જગતમાં કિનને લેવા માટેના દુશ્મનો જ નથી; પ્રેમ કરવા માટેના બાંધવો પણ છે, એટલું યાદ રાખજે.'
“પિતાજી, જ્ઞાનબળવાળો તમારા જેવો પુરુષ ગમે તે પરિસ્થિતિમાં જે આશા અને ધીરજ દાખવી શકે છે, તે મારા જેવા માટે શક્ય ક્યાંથી હોય? માટે મને તમે એ જ્ઞાનબળ જ આપો; અને કશુંક ને કશુંક મને ભણાવવાનું શરૂ કરો.”
બાવાજીએ કહ્યું, “તારો વિચાર સારે છે. જ્ઞાન એ એવો દીવો છે કે જે ગમે તેવી અંધારી કોટડીમાં બુઝાતું નથી કે પથ્થરની દીવાલોથી કેદ પુરાતે નથી. જેને માનવજ્ઞાન કહેવામાં આવે છે, તે બધું તે, તારી મરજી હોય તો હું તને એક વર્ષમાં જરૂર શીખવી શકીશ; પણ ફિલસૂફી જુદી વસ્તુ છે. તે શીખવી શિખાતી નથી. બધું જ્ઞાનવિજ્ઞાન હોવા છતાં માણસમાં તે ન પણ પ્રગટે; અને કશું જ્ઞાન ન
૫૪