________________
માણસ ધારે શું, ઈશ્વર કરે શું! ૫૫ હોય તો પણ તે પ્રગટી હોય એમ બને. ફિલસૂફી જ જીવાત્માને પરમાત્મા પ્રત્યે લઈ જનાર સાચું જ્ઞાન છે!”
બીજા જ દિવસથી ડાન્ટનું ભણતર શરૂ થઈ ગયું. તેની સમજશક્તિ સારી હતી તથા યાદશક્તિ અસાધારણ હતી; તેથી જ્ઞાનવિજ્ઞાનના સિદ્ધાંત ઉપર પ્રભુત્વ મેળવતાં તેને વાર ન લાગી. તેને ઇટાલિયન ભાષા તો વહાણવટાના સંપર્કને કારણે આવડતી હતી; તથા બીજી તે તરફની બોલીઓથી પણ તે પરિચિત હતો. છ મહિનામાં તો તે સ્પેનિશ, ઇંગ્લિશ અને જર્મન ભાષાએ પણ શીખી ગયો.
એક વર્ષ વીતી ગયું.
ડારે પિતાની આ જ્ઞાનપ્રાપ્તિ તથા ફેરિયા બાવાની સોબતથી પિતાનું બધું દુ:ખ ધીમે ધીમે ભૂલવા લાગ્યો. પરંતુ ફેરિયા બાવાનું તેમ ન હતું. તે વચ્ચે વચ્ચે બહુ વિચારમાં પડી જતા તથા નીચું જોઈ કેટલાય વખત સુધી આંટા માર્યા કરતા. એક દિવસ તે ઊંડા વિચારમાંથી અચાનક જાગી ઊઠયા હોય તેમ બોલ્યા, “અરે, ગલીવાળી ઓસરીમાં પહેરેગીર ન હોય તે કેવું સારું!
“તમે હુકમ કરે છે તે પહેરેગીર એક મિનિટથી વધુ ત્યાં મોજૂદ નહીં રહે!' ડાન્ટેએ ઉસુકપણે જવાબ આપ્યો. , “મેં તને કેટલીય વાર કહ્યું છે કે, મારે લેહી રેડવું નથી. ગલીવાળી ઓસરીમાં બહેરો અને આંધળો પહેરેગીર હોય તો બસ!”
હું તેને આંધળો તથા બહેર કરી આપું તો?'
ના, એ વાત નું ફરી એ લાવીશ નહિ.' ડાન્ટમાં ફરી એ ચર્ચા ઉપાડવાની હિંમત ન રહી. વધુ ત્રણ માસ વીતી ગયા.
એક દિવસ અચાનક ફેરિયા બાવાએ પૂછ્યું, “તારામાં હજુ પૂરતું જોર બાકી રહ્યું છે ખરું?'