________________
૧૩. જેમાં ડારે પોતાની વાત કહે છે રોજની વિવિધ વાતચીત દરમ્યાન બાવાજીની અક્કલ અને ડહાપણથી મુગ્ધ થઈ ડારે એક વાર બેલી ઊઠયો, “જો તમે જેલમાં રહ્યા રહ્યા આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શકયા છો, તો પછી બહાર હોત તે તે તમારી સિદ્ધિઓનો પાર જ ન રહ્યો હોત!”
બાવાજીએ હસીને કહ્યું, “બહાર રહ્યો હેત તે કદાચ કશું થયું ન હોત. રોજની હજારો મૂર્ખાઈમાં જ મારી શક્તિ અને જીવન કદાચ પૂરાં થયાં હોત. દુ:ખ જ માણસની ચાલુ શક્તિઓને કસે છે તથા અંદર ઊંડે ગુપ્ત પડી રહેલી શક્તિઓને પણ બહાર લાવે છે.”
એ સાંભળી ડાન્ટેએ ઝટ બાવાજીને હાથ પકડીને કહ્યું, “પિતાજી, તે તમારી એ બધી કસાયેલી અને બહાર આવેલી શક્તિઓની મદદથી તમે મારો કિસ્સો તપાસી આપો. અત્યારે અણસમજમાં હું કેવળ ઈવરને જ મારા દુ:ખનું કારણ માની દોષ દીધા કરું છું, પરંતુ તમે જો મને મારી અવદશાનું ખરું કારણ કહી આપે, તે હું ઘણા દોષ અને શોકમાંથી બચી જાઉં.'
તે શું, તારા ઉપર જે ગુનો કર્યાનો આરોપ છે, તે ગુને તે નથી જ કર્યો એવું શું કહેવા માગે છે?'
“હા જી, એ બાબતમાં તે હું ગમે તેના પવિત્ર સોગંદ ખાવા તૈયાર છું.”
ઠીક ત્યારે, તું તારી આખી કહાણી, જરા પણ ભાગ પડતો મૂક્યા વિના, મને કહી બતાવ.'
ડાન્ટેએ પિતાની આખી કહાણી લંબાણથી કહી સંભળાવી.
હ૭