________________
તપાસ
અમારા વહાણ ઉપર કોઈ દાક્તર ન હોવાથી, એલ્બા પહોંચવાની તેમની તીવ્ર ઉત્કંઠાને લીધે તે બીજા કોઈ બંદરે વળ્યા જ નહિ, પણ ત્રીજે દિવસે તેમને જ્યારે લાગ્યું કે હવે તેમની આખરઘડી નજીક છે, ત્યારે તેમણે મને પાસે બોલાવીને કહ્યું, “ભાઈ ડારે, હું જે કરવાનું તને અત્યારે કહ્યું, તે અવશ્ય પૂરું કરવાના નું સોગંદ ખા; કારણ કે તે બહુ અગત્યની વાત છે.'
“મેં સેગંદ ખાધા. પછી તરત જ તેમણે કહ્યું, ‘મારા મૃત્યુ પછી તું એકદમ આ વહાણના કપ્તાનનું પદ સંભાળી લેજે અને વહાણને સીધું એબા પહોંચાડીને ભજે. ત્યાં ગ્રાન્ડ માર્શલ પાસે જઈને તેમને આ પાકીટ આપજે. કદાચ તે ત્યાંથી તને બીજે કાગળ આપશે તથા તે કાગળને અમુક ઠેકાણે પહોંચાડવાનું કામ સોંપશે. તે કામ માટે કરવાનું હતું, પણ હવે તું તે કરજે.”
ત્યાર બાદ તેમણે માર્શલ મને ઓળખે તે માટે એક વીંટી આપી. બીજે દિવસે તે તે ગુજરી ગયા. એલ્બા પહોંચી માર્શલને હું મળ્યો અને કપ્તાને સોપેલું પાકીટ મેં તેમને આપ્યું. તેમણે મને એક કાગળ પેરિસ પહોંચાડવા આપ્યો. મારા કપ્તાને મરતી વખતે કરેલી આજ્ઞાની રૂએ મેં એ કામ કરવાનું માથે લીધું હતું, અને અત્યારે એકાદ કલાક બાદ લગ્નવિધિ પતી જતાં, હું આવતી કાલે વહેલી સવારે જ પૅરિસ જવા ઊપડવાનો હતો.”
“ઠીક, ઠીક, તારી વાત સાચી લાગે છે, તે જે કાંઈ કર્યું તે તો કપ્તાનની મૃત્યુ વખતની ઈચ્છાને માન આપવાની લાગણીથી જ કર્યું છે, એટલે તારો આમાં કશો જ વાંક નથી. તું એલ્બાથી આણેલે કાગળ મને આપી દે અને પછી જ્યારે તને અદાલતમાં લાવવામાં આવે ત્યારે હાજર થવાનું વચન આપ, એટલે હું છૂટો છે.'
એ કાગળ તો મારી પાસેથી કયારને લઈ લેવામાં આવ્યો છે; આપની પાસે પડેલા પેલા પરબીડિયામાં દેખાય છે તે જ કાગળ એ છે.” ડાન્ટેએ રાજી થતાં થતાં જવાબ આપ્યો.