SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય ચૂકવા 261 વાળતા હતા, તે જ તે તેમના ઉપર છરી સાથે તૂટી પડ્યો અને તેમને ઘાયલ કરી નાખ્યા. પછી તેમને મરેલા ધારીને, ખાડામાં મારા પિતાએ કંઈ ખજાને દાટયો હશે એમ માની, મારા શરીરવાળી પેટી લઈને તે નાઠો. નદીકિનારે પહોંચી જયારે તેણે તે પેટી ઉઘાડી, ત્યારે તેણે અંદર મને જીવતે દીઠો, એટલે તે મને એક અનાથાશ્રમમાં મૂકી આવ્યો. ત્રણ મહિના બાદ તેની ભાભી આવીને મને ઉછેરવા કેર્શિકા લઈ ગઈ. એ લોકોને ત્યાં હું સારી રીતે ઊછરતા હતા અને સુખી પણ થઈ શકયો હોત, પણ મારો સ્વભાવ વિપરીત હતું, અને હું ગુનાઓ કરવા તરફ વળી ગયો. હું મારા આવા વિપરીત સ્વભાવને કારણે તથા મારા વિચિત્ર કમનસીબને કારણે ઈશ્વરને દોષ દેતો, ત્યારે મારો પાલક પિતા મને કહે કે, “બેટા, ઈકવરનો કશો દોષ નથી; દોષ હોય તો તારા સગા બાપને છે; કારણ કે, તેણે તને જીવતે દાટી દીધો હતો. તે વખતે જો તું મરી ગયો હોત, તો બધું તરત પતી ગયું હત. પરંતુ તું જીવતે રહ્યો એટલે અમારા જેવા કમનસીબ લોકોને ત્યાં તારે ઊછરવું પડે છે.’ આમ, જન્મથી જ મારાં માતાપિતાને હાથે મારું વિપરીત નસીબ ઘડાયું, અને તે કારણે હું આવી દુર્ગતિ પામ્યો છું. મારા માબાપે જો મને સારી રીતે ઉછેર્યો હોત, અને આમ કબરને કે કમનસીબને સોંપી દીધો ન હોત, તે કદાચ હું મારા પિતાને અને માતાને કલંકિત કરું એવો ન બન્યો હોત.” ‘તારી માતાનું નામ શું છે?' મારી માતાને તો હું જન્મ્યો ત્યારથી મરેલો જન્મ એમ કહેવામાં આવ્યું હતું, તેથી તેનો અપરાધ હું ગણતો નથી; અને તેથી તે કોણ હતી તેની ખબર પણ મેં મેળવી નથી.’ આ વખતે પ્રેક્ષકોમાંથી એક તીણી ચીસ સંભળાઈ. જે સ્ત્રી થોડા વખત પહેલાં બેભાન બની ગઈ હતી, તે જ હવે પાછી હિસ્ટીરિયાની તાણમાં સપડાઈ હતી. તેને અદાલતના ઓરડામાંથી ઉપાડી ગયા, ત્યારે
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy